________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫): પ્રવચન નવનીત ભાગ-૧
એવું હતું. અરે ભાઈ ! એ તો બધી રાગની વાતો છે. એ તત્ત્વ, સમ્યગ્દર્શન અને ધર્મ નથી.
અહીંયાં તો કહે છે: “પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર”—દ્રવ્ય અને પર્યાય, બન્ને પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યાં છે.
પ્રશ્ન: દ્રવ્ય અનુભવાઈ રહ્યું છે?! દ્રવ્ય તો ધ્રુવ છે, એનો અનુભવ પર્યાયમાં આવતો નથી.
સમાધાન: આવતો નથી એટલે (પર્યાયમાં) ધ્રુવ આવતો નથી. પણ જેવી “ધ્રુવ' ચીજ છે, એવો અનુભવ પર્યાયમાં આવે છે. પર્યાયનો અનુભવ (પર્યાયમાં) અનાદિનો છે; તે પર્યાય
જ્યારે આ (ધ્રુવ) બાજુ ઢળી, તો “ધ્રુવનો અનુભવ” એમ કહેવામાં આવે છે. આહા... હા.... હા ! ઝીણી વાત છે ભાઈ !
ભગવાનઆત્મા એક સમયની પર્યાયમાં બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. આહા... હા.... હા ! “વ્યક્ત” અને “અવ્યક્ત” –બને અનુભવાઈ રહ્યાં છે.
જિજ્ઞાસાઃ અહીંયાં “બાહ્ય' માં નિર્મળપર્યાય લેવી છે?
સમાધાન: અહીંયાં નિર્મળપર્યાય જ છે. મલિનની વાત અહીં છે જ નહીં; એ તો કષાયથી ભિન્ન છે' માં-બીજા બોલમાં-આવી ગઈ.
આહા... હા... હા! “ચિવિલાસ” માં તો એમ લીધું છે કેઃ પર્યાય જે છે તે ભલે મલિન હોય કે નિર્મળ, (–તે પોતાના પકારકથી પરિણમે છે). અહીંયાં તો નિર્મળની વાત છે. તો નિર્મળપર્યાયના કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણ, (એ) પર્યાયના પયામાં છે. નિર્મળપર્યાયની “કર્તા' નિર્મળપર્યાય. નિર્મળપર્યાયનું કાર્ય' નિર્મળપર્યાય. નિર્મળપર્યાયનું “સાધન' નિર્મળપર્યાય. નિર્મળપર્યાયનું દાન આપ્યું એ “સંપ્રદાન' નિર્મળપર્યાય પોતાથી ઉત્પન્ન થઈ એ “અપાદાન'. પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થઈ અને પર્યાયના આધારે પર્યાય ઉત્પન્ન થઈ (એ “અધિકરણ”.) સમજાય છે કાંઈ? (તથા) પ્રવચનસાર” ગાથા-૧૦૧માં (એમ કહ્યું કે, “ઉત્પાદ ઉત્પાદથી અને વ્યય વ્યયથી (છે). આહા... હા... હા.. હા!
ભિન્ન-ભિન્ન ઠેકાણે શાસ્ત્રમાં તો અહો... હો... હો ! ગજબ વાતો કરી છે !! એક એક શાસ્ત્ર, એક એક ગાથા-દિગંબર.. હોં! અલૌકિક વાતો છે!! એ વાત (બીજે) ક્યાંય નથી.
અહીંયાં કહે છે: “બાહ્ય-અભ્યતર પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે” ભગવાન આત્મા. “વ્યક્ત” અને “અવ્યક્ત” –બેયનો અનુભવ છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com