________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૯ પોતાથી” એવું છે જ નહીં. આહા... હા હા ! “સ્વયમેવ હિ”-નિર્મળાનંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદનો કંદ-નાથ; (તથા) (એની) અતીન્દ્રિય આનંદની અને મતિ શ્રુતજ્ઞાનની પર્યાય; –એ પોતે જ પોતાથી (છે).
(“દિરન્ત:”) –“બાહ્ય-અત્યંતર”-પર્યાય અને દ્રવ્ય. “બાહ્ય” એટલે પર્યાય. બાહ્ય એટલે બાહ્ય ચીજ ન લેવી. અહીં વાત બાહ્ય ચીજની નથી. સમજાયું કાંઈ ? “બાહ્ય” એટલે એ (નિર્મળ) પર્યાય, બાહ્ય છે.
શુદ્ધભાવ અધિકારમાં “નિયમસાર' ૩૮મી ગાથામાં આવ્યું છે ને...! “નીવાઢિ વહિવું દેવમુવાલેયમMો બપ્પા.” (અહીં) તો જીવને પણ હેય કહ્યો; કેમકે એ પર્યાયની વાત છે. જીવની જે (નિર્મળ ) પર્યાય તે “બાહ્ય” , તેને અહીં હેય કહી. આહા.. હા... હા ! રાગાદિ તો ય છે જ.
આહા.... હા... હા ! આ વાત ક્યાંય સાંભળે નહીં, (કોઈ) સંભળાવે નહીં. જિંદગી એમ ને એમ-પશુની જેમ–ચાલી જાય છે! ભલે માણસ (પાસ) બેપાંચ કરોડ રૂપિયા હોય-ધૂળ હોય; પણ જ્યાં આત્મા શું ચીજ છે, એ સમજે નહિ ત્યાં સુધી, પશુતુલ્ય અવતાર છે!
જિજ્ઞાસાઃ વ્યવહાર જીવને હેય કહ્યો?
સમાધાનઃ “પર્યાય' એ વ્યવહાર જીવ (છે), અભૂતાર્થ (છે). “દ્રવ્ય' એ ભૂતાર્થ (છે.).
અહીંયાં ભૂતાર્થને “અવ્યક્ત” કહ્યો. અને પર્યાય-અભૂતાર્થને “વ્યક્ત” કહ્યો. સમજાણું કાંઈ? આ બધું સાંભળીને... આ તો જાણે બધું નવું-નવું લાગે...! આ તે કાંઈ વીતરાગમાર્ગ હશે...?
અહીંયાં કહે છે: “બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. (તથા) (“સમયસાર') ૧૭-૧૮મી ગાથામાં તો એમ કહ્યું કે જે વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે, એને પોતાની પર્યાયમાં જાણવું, એ પર્યાયનો સ્વભાવ છે. તો (સ્વ-પર પ્રકાશક) પર્યાયના સ્વભાવમાં- ‘દ્રવ્ય' –એ જાણવામાં તો આવે જ છે; પણ એનું (અજ્ઞાનીનું) લક્ષ “એ દ્રવ્ય)' ઉપર નથી. (એ) લક્ષ રાખે છે “વર્તમાન અવસ્થા” ઉપર, તેથી (તે) પર્યાયમૂઢ (છે.) વર્તમાન અવસ્થા જે “વ્યક્ત' છે, તે
બાહ્ય” છે-તેમાં, જેની રૂચિ જામી ગઈ છે, તે પર્યાયમૂઢ જીવ મિથ્યાદષ્ટિ છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ?
“આવો ધર્મ' કઈ જાતનો હશે...? ભઈ ! અમે તો બધાએ (એ) સાંભળ્યું છે કે: પોષા કરવા... સામાયિક કરવી.... પ્રતિક્રમણ કરવું... ચોવિયાર કરવો. છ કાયની દયા પાળવી..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com