________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮: પ્રવચન નવનીત ભાગ-૧ આત્મા અનુભવમાં આવે એ ચીજ આત્મામાં છે જ નહીં. સમજાયું? છે ને...? “સ્વયં” પ્રકાશમાન વિશદ.' વિશદનો અર્થ સ્પષ્ટ, અને સ્પષ્ટનો અર્થ પ્રત્યક્ષ છે, એવી સંવેદના મયી-પોતાના અનુભવથી જાણવામાં આવે છે એવી-શક્તિઓ અંદર પડી છે. આહા... હા.... હા ! પણ એ શક્તિને પ્રતીતમાં લે ત્યારે શક્તિની પ્રતીતિ કરી કહેવામાં આવે ને...? (બાકી) ભરોસો-વિશ્વાસ અંદર નથી. અને વિશ્વાસ છે વર્તમાન એક સમયની પર્યાયનો, અને જોર છે દાય-દાન રાગ ઉપર. જોર-એ તો પર્યાયબુદ્ધિ-મિથ્થાબુદ્ધિ-મિથ્યાદષ્ટિ છે. આહા... હાં !
અહીં “સ્વયં” કીધું ૪૯ (ગાથા) માં આ કહ્યું; અને ૧૭-૧૮ ગાથામાં યે કહ્યું. ગઈ કાલે કહ્યું હતું ને...? કેઃ જ્ઞાનની પર્યાયનો “સ્વ-પર પ્રકાશક ગુણ હોવાથી, પોતાની પર્યાયમાં સ્વયં આત્મા જ જાણવામાં આવે છે. આહા.. હાં. હા ! એમ હોવા છતાં પણ (અજ્ઞાની) બંધ અર્થાત્ રાગને વશ થઈને, પર્યાયમાં “જ્ઞાયક' જાણવામાં આવે છે (છતાં), એને જાણતો નથી. સમજાય છે કાંઈ ? આવી વાત છે. ભાઈ ! માર્ગ બહુ જુદો! હજુ તો ધર્મની શરૂઆતની પહેલાંની વાત છે ! પછી ચારિત્ર અને કેવળજ્ઞાન-એ તો કોઈ અલૌકિક ચીજ છે !! આહા... હા... હા!
અહીં તો પ્રથમ પ્રકાશશક્તિની પ્રતીતિ ક્યારે થાય છે? કે જ્યારે એને આખા આત્માની પ્રતીતિ થાય છે ત્યારે. તો આખા આત્મામાં-અનંતગુણના પિંડમાં-એક પ્રકાશગુણ છે તે સ્વસંવેદનથી જ જાણવામાં આવે છે. એને ( અનંતગુણના પિંડને) અહીંયાં “ અવ્યક્ત” કહે છે. જે જાણવામાં આવે છે, તે “અવ્યક્ત' છે. જાણવામાં આવ્યું તે પર્યાયમાં આવ્યું. સમજાણું કાંઈ ? પર્યાયમાં જાણવામાં આવ્યું કોણ? કેઃ “અવ્યક્ત.” અવ્યક્ત એટલે વસ્તુ.
અહીંયાં એ કહે છે: “પોતે પોતાથી જ”. છે ને? સંસ્કૃત પાઠમાં તો એટલું છે: “ સ્વયમેવ દિ”-સ્વયં + મેવ + દિ = સ્વયમેવ દિ = સ્વયં જ = પોતે જ. “સ્વયં” કોણ? કેઃ “પોતે જ.' પોતાની જે નિર્મળપર્યાય, અંદરમાં સમ્યગ્દર્શન-જ્ઞાનમય થાય છે, તો તે સમયે સ્વયં (-પોતે) પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. જુઓ! “અનુભવમાં આવી રહ્યો છે.” “બાહ્ય” એટલે વ્યક્ત-પર્યાય. અત્યંતર એટલે અવ્યક્ત-દ્રવ્ય.
સમજાય એટલું સમજો, ભાઈ ! આ તો અલૌકિક માર્ગ છે! જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે! જૈનદર્શન એટલે વસ્તુનું સ્વરૂપ. વસ્તુનું સ્વરૂપ (એટલે જૈનદર્શન). એ કોઈ સંપ્રદાય નથી. એ તો જેવી ચીજ છે, તેવી જ જાણી, એવી જ કહેવામાં આવી છે!
તો કહે છે કેઃ “પોતે પોતાથી જ...” તો કોઈ એમ કહે કે: “એમાં તો એકાંત થઈ ગયું. “પોતાથી જ'. “કથંચિત્ પરથી અને કથંચિત્ પોતાથી તો અનેકાંત થાય.” (એમ) નથી ! પાઠ જ એ છેઃ “સ્વયમેવ દિ.” “કથંચિત્ પરથી અને કથંચિત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com