________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૩ ૨૦માં બોલમાં કહ્યું કે: દ્રવ્ય, દ્રવ્યને (-વેદનરૂપ પર્યાયને) સ્પર્શતું નથી. (“સમયસાર) ત્રીજી ગાથામાં કહ્યું કે: (દ્રવ્ય) પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણેયને સ્પર્શે છે. આહા.... હા ! કયા ઠેકાણે કયા નયથી (કથન છે? એ નિર્ધાર કરવો જોઈએ.) આહા... હા ! ત્યાં (ત્રીજી ગાથામાં) તો પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. અને (“અલિંગગ્રહણ”) બોલઃ ૧૮, ૧૯, ૨૦માં તો પર્યાય અને દ્રવ્ય-બે ભિન્ન સિદ્ધ કરવાં છે. અને અહીં પણ (એ) બે ભિન્ન સિદ્ધ કરવાં છે.
માર્ગ તો આ છે. પ્રભુ! તું... આજે કબૂલ કર, કાલે કબૂલ કર, પાછળથી (ગમે ત્યારે) કબૂલ કર; પણ “આ” કબૂલ કર્યું જ તારો છૂટકો છે. છુટકારો (આમાં) છે. આહા... હા! (વાત) ઘણી ટૂંકી. પણ ઘણી ગંભીર ચીજ છે! આહા. હા! દિગંબર મુનિઓ એટલે પરમાત્માના કેડાયતો... આહા... હા... હા ! એકાદ ભવમાં મુક્તિ લેનારા.. કેવળજ્ઞાન લેનારા..! “નમો સિદ્ધાળ” માં ભળી જશે. આહા.... હા.... હા! એ સંતોની વાણી !! કરુણા કરીને આવી.
કહે છે કે: વ્યક્ત-અવ્યક્તના એકમેક મિશ્રિત અર્થાત્ પર્યાયમાં, દ્રવ્યનું અને પર્યાયનું જ્ઞાન એક સમયમાં મિશ્રિત છે. છતાં, એક સમયમાં (-પર્યાયમાં) ધ્રુવ આવતું નથી, પણ એનું જ્ઞાન છે. આહા... હા. હા ! પર્યાયમાં ધ્રુવ આવતું નથી, પણ પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન છે.
સમયસાર” ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને....? કે દરેક પ્રાણીને પોતાની પર્યાયમાં, દ્રવ્ય જ જાણવામાં આવે છે. શું કહે છે? પોતાની પર્યાય, જે વ્યક્ત-પ્રગટ જ્ઞાન-પર્યાય છે-જ્ઞાનનું સ્વરૂપ તો સ્વ-પર પ્રકાશક છે-તે જ્ઞાનની પર્યાય, ભલે અજ્ઞાનીની હો પણ એ પર્યાયનું સ્વરૂપ તો સ્વ-પર પ્રકાશક છે–તો એ પર્યાયમાં જ્ઞય- “જ્ઞાયક આત્મા’ –જાણવામાં આવે જ છે. આહા.. હા.... હા! “જ્ઞાયક' પર્યાયમાં આવતો નથી, પણ પર્યાયમાં શયનું જ્ઞાન થાય જ છે. જ્ઞાનની પર્યાયમાં “જ્ઞાયક’ નું જ્ઞાન થવા છતાં પણ અજ્ઞાનીની દષ્ટિ, રાગ-નિમિત્ત-પર્યાય ઉપર છે; (તેથી) “પરનું જ્ઞાન કરું છું” એવી ભ્રમણા કરે છે.
જિજ્ઞાસા થાય છે તો પોતાનું જ્ઞાન, એને ભ્રમણા કહી ઘો છો ! સમાધાનઃ પર એટલે અજ્ઞાન થાય છે. ( શાયકનું જ્ઞાન-લક્ષ કરતો નથી).
સત્તર આના-અઢાર આનાની વાત આ! તમારે વેપારમાં સત્તર-અઢાર આના થાય છે ને..? માણસોય વાત કરે, ભાઈ ! ઘણા... હો... વાત કરતાં કરતાં આ સત્તર આનાની વાત તમારી છે' એમ કહે. એમ, એક સમયની જ્ઞાનની અવસ્થામાં, આ ભગવાન આત્મા બધાને ( જ્ઞાનમાં આવી રહ્યો છે ).
જિજ્ઞાસા સ્વ અને પરને જાણે એમાં કોણ રહી ગયું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com