________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬: પ્રવચન નવનીત ભાગ-૧ નાખ્યું. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના વિકલ્પ છે- “રાગ' , એ તો તારા સ્વરૂપમાં નથી. પ્રભુ! એ તો નીકળી જવાવાળી ચીજ છે, દુઃખરૂપ છે. આહા.. હા ! અહીં તો હુવે “ક્ષણિક નિર્મળ પર્યાયમાત્ર પણ આત્મા નહિ” એમ કહેવું છે.
સમજાણું? સમજાય એટલું સમજવું. ભાઈ ! માર્ગ તો આ છે! સુખી થવાનો પંથ તો આ છે! બાકી દુઃખી થવાના...! એ બધા અબજોપતિ અને કરોડપતિ, હેરાન-હેરાન થઈ, બિચારા ! મરીને ક્યાંય હાલ્યા જશે-ઢોર ને નરકમાં. એ રૂપિયાવાળા ય મરીને જશે. રૂપિયા, રૂપિયાને ધેરે રહેશે. આહા... હા!
તું એક ક્ષણની પર્યાય જેવડો નથી, પ્રભુ! તો તું પરનો તો ક્યાંથી થયો? (નિયમસાર) શુદ્ધભાવ અધિકારમાં (કહ્યું છે કે, એક ક્ષણિક વર્તમાન દશા-કેવળજ્ઞાન આદિ, સંવર-નિર્જરાની ધર્મ-પર્યાય, જે આત્માના અવલંબની ઉત્પન્ન થઈ, તે પણ ક્ષણિક છે. તેની મુદત એક સમયમાત્રની છે. આહા... હા! આત્મા ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ-એના અવલંબનથી, સમ્યગ્દર્શન આદિ ઉત્પન્ન થાય છે. તેની મુદત એક સમયની છે. બીજા સમયે બીજું છે. કેવળજ્ઞાન પણ એક સમયમાં એક છે, બીજા સમયે કેવળજ્ઞાન આવે છે (એ) બીજું; એવું, પણ (પાછું ) બીજું. આહા.... હા.... હા! આવી વાત છે !!
(આત્મા) ક્ષણિક વ્યકિત માત્ર નથી, માટે “અવ્યક્ત” છે. આ કારણે “અવ્યક્ત” છે, કારણ (આત્મા) એક સમયની નિર્મળ પર્યાય માત્ર નથી. કારણ કે (વર્તમાન) પર્યાય વ્યક્ત” છે. નિર્મળ પર્યાય પણ “વ્યક્ત” છે. આહા... હા ! એટલો તું નથી. એનાથી (વ્યક્તથી ) ભિન્ન, અંદર નિત્યાનંદ પ્રભુ છે; એ સમ્યગ્દર્શનનો વિષય છે. એ જ (અવ્યક્ત) ઉપાદેય છે. એ આદરણીય થઈને, એમાંથી આત્માના કલ્યાણની દશા ઉત્પન્ન થાય છે; પણ એ દશા પણ ક્ષણિક છે. વિશેષ કહેશે. ..
અવ્યક્ત” બોલ-૫ (પ્રવચનઃ તા. ૨૨-૧- “૭૮)
સમયસાર” - ૪૯ ગાથા ચાલે છે. એમાં “અવ્યક્ત” પાંચમો બોલઃ [“વ્યવ્યmવિમિશ્રપ્રતિમાસે વ્યml સ્પર્શત્વા” –વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.)
પહેલા બોલમાં તો એમ લીધું હતું કે: એક કોર ભગવાન આત્મા અને એક બાજુ છે દ્રવ્ય. પોતાની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે, પણ તે છ દ્રવ્ય અને એની પર્યાયથી ભિન્ન (પોતાનો) ભગવાન આત્મા સસમ (દ્રવ્ય) છે–એમ, હે શિષ્ય! તું જાણ! એમ કહ્યું ને...? આહ.. !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com