________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩): પ્રવચન નવનીત ભાગ-૧ એક પંડિતજીનો નિર્ણય જૈનપત્રિકામાં આવ્યો છે: “સોનગઢ નિમિત્તને નથી માનતું’. (પણ) એમ નથી. નિમિત્ત માને છે, પણ નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) થતું નથી, એમ માને છે.
અહીં કહે છે: ભાવક જે કર્મ, એની ભાવ્ય અવસ્થા, એનાથી રહિત ભગવાન “અવ્યક્ત' છે. ભાવકનો ભાવ-કષાય- “વ્યક્ત” છે. “વ્યવહારરત્નત્રય” ભાવકનો ભાવ છે. એમ કહ્યું ને...? ભાઈ ! એ (ભાવકભાવ) તો “વ્યક્ત' છે. એનાથી ભિન્ન “અવ્યક્ત' (આત્મા) છે. તો એ “અવ્યક્ત” ને જાણ ! એ “અવ્યક્ત” છે તે શુદ્ધ-ઉપાદેય છે. આહા... હા ! પર્યાયમાં. એ “અવ્યક્ત” જે છે શુદ્ધ તે, ઉપાદેય છે-આદરણીય છે.
ત્રીજા બોલમાં એમ કહ્યું કેઃ “ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન છે'. ત્રીજો બોલ કાલે ચાલ્યો હતો. ને? “સામાન્ય” અર્થાત્ ત્રિકાળી ધ્રુવ-એમાં, ચૈતન્યની સમસ્ત પ્રગટ અવસ્થાઓ નિમગ્ન છે. પણ તે “છે' એને તું “મળતું નીવન નાબ” એમ કહ્યું ને..? એવા અવ્યક્તને-જીવને તું જાણ ! એ “જ્ઞાન” છે, તે પર્યાય છે. એ પર્યાયમાં એને (જીવન) જાણ! આહા.... હા ! સમજાણું કાંઈ ?
જયસેન આચાર્યની સંસ્કૃત ટીકામાં ઘણું લીધું છે. “હે શિષ્ય આ જાણ!' “ગાળ નિંદન” નિશ્ચયનયે સંવેદ્રવજ્ઞાનવિષયત્નાવલિંગપ્રદભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાનનો વિષય છે. સ્વસંવેદનજ્ઞાન છે પર્યાય. સ્વસંવેદન જ્ઞાનનો વિષય છે! જુઓ! “
સંવેવનજ્ઞાનવિષયત્નાવલિંદ(એ ગાથા “જિંદ') “સમતુસ્ત્રાષિसंस्थानरहितं च यं पदार्थं तमेवं गुणविशिष्टं शुद्धजीवमुपादेयमिति हे शिष्य जानीहि।" જાણ” નો અર્થ કર્યો ભાઈ ! “હે શિષ્ય! આમ જાણ.” અંદર છે પૂર્ણ પ્રભુ ભગવાન! (ત્યાં) દષ્ટિ અન્તર્મુખ કર! આહા.... હા ! વાત તો આવી છે!!
દષ્ટિ છે. પર્યાય. જાણવાવાળી છે. પર્યાય. પણ પર્યાયનો વિષય છે “ધ્રુવ'. પર્યાયનો વિષય પર્યાય નથી. આહા.. હા! સમજાણું કાંઈ ! હે શિષ્ય તું જાણ! –એમ લીધું છે. એમ છે ને? “સબૂત્ત નીવન નાબ”—હું શિષ્ય! તું અવ્યક્ત આત્મા જે સામાન્ય એકરૂપ ચીજ છે, જેમાં બધી પર્યાયો નિમગ્ન છે; પણ “તું જાણ” –એ (વર્તમાન) પર્યાય અંતરમાં નિમગ્ન નથી. આહા... હા... હા...! સમજાણું કાંઈ ?
સવારમાં કહ્યું હતું ને..? ચેતનસ્વરૂપ ભગવાન, એનું ચૈતન્ય-ચેતનાસ્વરૂપ, ચેતનસ્વભાવ, ચેતનદ્રવ્ય, એનું ચેતના સ્વરૂપ ગુણ, એની ચેતના પરિણતિ-ભાવશુદ્ધપરિણતિ એનો વિષય “ચેતન” ને બનાવ. આહા.... હા. હા! ઝીણી વાત છે, ભાઈ ! પણ શું થાય? અત્યારે ફેરફાર થઈ ગયો છે ઘણો.
ચૈતન્યની સમસ્ત વ્યકિત માત્ર-ભવિષ્યની કેવળજ્ઞાનની અનંત પર્યાય અને ભૂતની પર્યાય-સમસ્ત વ્યકિતઓ પ્રગટ, નિમગ્ન અને અંતભૂત છે. એટલા માટે એ (આત્મા).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com