________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬: પ્રવચન નવનીત ભાગ-૧
આવો ઉપદેશ!! અરે ! આવો માર્ગ, બાપુ ! વીતરાગમાર્ગ તો અલૌકિક છે, ભાઈ ! અને એ કાંઈ દુનિયાને દેખાડવા માટે નથી. પોતાને જોવા (આરાધવા) માટે છે. આહા... હા!
પોતાનું સ્વરૂપ, ચિત-જ્ઞાન, સામાન્ય-સ્વરૂપ, એમાં જેટલી પર્યાયો-વ્યકિતઓ હતી, વ્યકિતઓ થશે-એ બધી, અંતરમાં અન્તર્મગ્ન અર્થાત્ પારિણામિક ભાવે છે. સામાન્યમાં અન્તર્મનો એવો અર્થ નથી કે: અંતર (દ્રવ્ય) માં ઉપશમભાવ-ક્ષયોપશમ ભાવ છે. એક વર્તમાન પર્યાયને બાદ કરી. કારણ કે, વર્તમાન પર્યાયમાં “ના!” એવું લીધું ને...? ચિત્સામાન્યમાં સર્વ વ્યકિતઓ અંતરર્નિમગ્ન છે-હે શિષ્ય ! એવા જીવને તું જાણ !
આહા... હા! કેટલી વાત કરે છે! પહેલી વાત એવી છે કે વિકલ્પથી તો એવો નિર્ણય પહેલાં કરવો પડશે કે “માર્ગ તો આ છે'. પછી એ વિકલ્પ તોડીને (આત્માનો) અનુભવ થાય છે. પણ હજી વિકલ્પથી પણ (યથાર્થ) નિર્ણયનાં જેનાં ઠેકાણાં નથી ! પર્યાયમાં-અવસ્થામાં રાગના વિકલ્પસહિત જ્ઞાનમાં, યથાર્થ શું છે એવું પણ જેને (સમજણમાં નથી કે) સ્વરૂપ તરફ ઝુકવાથી જ સમ્યગ્દર્શન થાય છે; પર્યાયનાં લક્ષથી પણ સમ્યગ્દર્શન થતું નથી; તો વિકલ્પથી અને વિકલ્પના લક્ષથી (સમ્યગ્દર્શન) થાય-એ વાત તો અહીં છે જ નહીં. અહીં તો પર્યાયનો પણ નિષેધ કરી દીધો છે. તો એમ, પહેલાં નિર્ધાર-નિશ્ચય કરવો જોઈએ. ભલે તે વિકલ્પથી હોય પણ પહેલાં (યથાર્થ) નિર્ણય-નિર્ધાર હોવો જોઈએ કે “માર્ગ તો આ છે'.
જેટલી વ્યકિતઓ-પર્યાય છે-એ બધી, અન્તર્તિમ છે. પારિણામિકભાવ સ્વભાવ ભાવ છે. પર્યાયના આશ્રયની જરૂર નથી. કારણ કે, તે તો અન્તર્નિમગ્ન છે. અને જે પર્યાય, નિર્ણય કરે છે તે તો બાહ્ય છે.
ના” કહ્યું ને...? “ ના સવંત્ત જીવન”. “ નીવમ બંન્ને ના” આ શબ્દ લીધો છે ને..? આહા... હા! ભગવંત તને જીવ કહે છે. અને જીવને ભગવંત કહે છે! આહા... હા! ભગવાન તું જીવ છો ને...! નિર્મળ પર્યાયો પણ (જેમાં) અન્તર્નિમગ્ન છે, એવા જીવને તું વર્તમાનમાં જાણ ! અનિત્યથી નિત્યનો નિર્ણય થાય છે. નિત્યનો નિર્ણય નિત્યથી નથી થતો, નિત્ય તો ધ્રુવ છે. આહા.... હા! સામાન્ય તો ધ્રુવ છે. અને સામાન્યધુવમાં ભૂત-ભવિષ્યની પર્યાયો અન્તર્મગ્ન છે. તે (પર્યાયો) ધ્રુવમાં ચાલી ગઈ. તો વર્તમાનમાં પર્યાય છે કે નહીં? તો તે વ્યક્ત છે કે નહીં? કે અન્તર્મગ્ન છે? (વર્તમાન પર્યાય અન્તર્મગ્ર નથી).
આહા... હા! ભાષા તો સાદી છે, બાપુ ! ભાવ તો જે છે તે છે. આ કાંઈ દુનિયાને દેખાડવા માટે નથી. કે, જુઓ... જુઓ ! અમને આવું જ્ઞાન છે. અમારામાં એવી આવડત છે. એમાં શું..? દુનિયાનો રિપોર્ટ પ્રમાણપત્ર) લેવો છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com