________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪: પ્રવચન નવનીત ભાગ - ૧ ચેતનમાં ચેતન અને આનંદ છે. અને અજીવમાં આનંદ અને જ્ઞાન નથી, એ અપેક્ષાએ (શુભ ભાવને) અજીવ કહીને, વ્યક્ત કહીને, ભિન્ન કહીને-એનાથી, ભગવાન (આત્મા) ને ભિન્ન બતાવ્યો છે. સમજાણું કાંઈ ? આહા... હા ! આવો ઉપદેશ !!
હવે માણસને એવું લાગે ને...! ઓલામાં (સંપ્રદાયમાં) ધમાધમ હાછે (ચાલે).... આમને આમ.... ઉપવાસ કરો.. ઉપવાસ કરો, દાન કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, ગજરથ કાઢો... ગિરથ છાઢતે હૈ ..? આહા.... હા ! “ગજરથ” તો ભગવાન આત્મા છે. નિર્જરા અધિકારમાં આવ્યું છે ને...? “વિદ્યારથHIઢ” આહા.. હા! ભગવાન! વિદ્યા એટલે વિધમાન ચીજ, ત્રિકાળી વિદ્યમાન. વિધમાન ચીજ–એમાં આરૂઢ થવું, એ “ગજરથ” છે. રાગમાં આરૂઢ થવું તે તો, પ્રભુ! પામરતા છે, દુઃખ છે, એ અજીવ છે, એ વ્યક્ત છે. વ્યક્તિ અર્થાત્ બાહ્ય ચીજ છે. તેમાં, અવ્યક્ત ચૈતન્યતો અંશ નથી. તો એ અપેક્ષાએ (રાગને) વ્યક્ત કહ્યો, સ્થૂળ કહ્યો. એનાથી. “જીવ ” અન્ય છે. માટે “અવ્યક્ત” છે.
ત્રીજા બોલ ચિસામાન્ય' માં પણ એ લેવું (છે). શું લેવું (છે) ? ભાવકભાવ વ્યક્ત છે, એનાથી અવ્યક્ત ભિન્ન છે, એવું જાણ ! (પાઠમાં) “નાબ” આવ્યું છે ને....? “એમ જાણ!” એમ ભગવાન કુંદકુંદ આચાર્ય આદેશ કરે છે. આહા... હા! ભાવકનો ભાવવિકારી ભાવ ભલે શુભ હો...! અશુભ ભાવની તો વાત ક્યાં કરવી? –તેનાથી પણ ભિન્ન, એ અવ્યક્ત છે. ભગવાન આત્મા–તેને જાણ! “નાબ” એમ કહ્યું ને...? તું રાગથી પોતાને લાભ માને છે (પણ) પ્રભુ! એ રાગ “ભાવકભાવ” છે. તેનાથી ભિન, ભગવાન જે અવ્યક્ત, તેને જાણ ! આહા.... હા! અહીં તો ભાવક (ભાવ) -વ્યવહારને જાણ, એ પણ ન લીધું. એ પહેલા (બોલ) માં સાધારણ આવી ગયું હતું. એ અજીવને જાણવું એ પણ અહીં નથી લીધું. પહેલાં તો સાધારણ વાત કહી દીધી હતી. અહીં તો “અવ્યક્તને જાણ” એમ કહેવું છે, ભાઈ ! આ (ભાવક ) ભાવથી ભિન્ન, એને (અવ્યક્તને) જાણ ! “ભાવને જાણ’ એ પ્રશ્ન જ અહીં નથી. એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે ભાવકના ભાવથી ભિન્ન, તેને જાણ ! અને એને જાણવામાં તારી પર્યાયમાં, એનું (ભાવકભાવનું) પણ જ્ઞાન થશે. તારા સામર્થ્યથી રાગને (ભાવકભાવને ) જાણવાનો નથી, પણ તારા સામર્થ્યથી પોતાનું જ્ઞાન થવામાં રાગ સંબંધીનું જ્ઞાન સાથે ઉત્પન્ન થશે. સમજાણું કાંઈ? હવે બે બોલ થયા. ત્રીજો બોલઃ
[ “જિલ્લામનિમર્તાિત”. ચિલ્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે.) હવે “ચિસામાન્ય” માં શું કહે છે? – ‘ચિત્” અર્થાત્ જ્ઞાન જે આત્મા (છે તે) “સામાન્ય' અર્થાત્ ત્રિકાળસ્વરૂપ એકરૂપ ધ્રુવ (છે) –એ સૂક્ષ્મ, અવ્યક્ત (છે). (અને) બાહ્ય પર્યાયો જેટલી છે એ વ્યક્ત (છે). એ ચિત્સામાન્યમાં ચૈતન્યની અનંત સમસ્ત વ્યકિતઓ-એક વર્તમાન પર્યાયને છોડીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com