________________
૨૦૦/૨/૧/૭
પ્રમાણમીમાંસા
प्रतिज्ञाया अपि मा भूत् प्रयोगो विफलत्वात् । नहि प्रतिज्ञामात्रात् कश्चिदर्थ प्रतिपद्यते, तथा' सति हि विप्रतिपत्तिरेव न स्यादित्याह-
વિષયોપલર્શનાર્થ તુ પ્રતિજ્ઞા nણા - १४. 'विषयः' यत्र तथोपपत्त्यान्यथानुपपत्त्या वा हेतुः स्व साध्यसाधनाय प्रार्थ्यते, तस्य 'उपदर्शनम्' परप्रतीतावारोपणं तदर्थं पुनः 'प्रतिज्ञा' प्रयोक्तव्येति शेषः।।
६१५. अयमर्थः-परप्रत्यायनाय वचनमुच्चारयता प्रेक्षावता तदेव परे बोधयितव्या यबुभुत्सन्ते । तथासत्यनेन बुभुत्सिताभिधायिना परे बोधिता भवन्ति । न खल्वश्वान् पृष्टो गवयान् बुवाणः प्रष्टुरवधेयवचनो भवति । अनवधेयवचनश्च कथं प्रतिपादको नाम ? । यथा च शैक्षो भिक्षुणाचचक्षेभोःशैक्ष, पिण्डपातमाहरेति । स-एवमाचरा मीत्यनभिधाय यदा तदर्थ प्रयतते तदाऽस्मै क्रुध्यति भिक्षुःआ:शिष्याभास भिक्षुखेट, अस्मानवधीरयसीति' विबुवा णः । एवमनित्यं शब्दं बुभुत्समानाय अनित्यः शब्द इति विषय मनुपदर्य यदेव किञ्चिदुच्यते-कृतकत्वस्यान्यथानुपपत्तेरिति वा, तत् सर्वमस्या नपेक्षितमापा ततोऽसम्बद्धाभिधानबुद्धया, तथा चानव हितो न बोद्धमहतीति ।
૧૩. શંકાકાર: જો હેતુના કોઈ પણ એક પ્રયોગથી વ્યાપ્તિનું જ્ઞાન થઈ જાય છે, તો પછી નકામા એવા બીજા પ્રયોગને રહેવા દો.
વળી તો પછી પ્રતિજ્ઞાનો પણ પ્રયોગ ના કરો, કારણ કે તે પણ નિષ્ફળ છે. કેવળ પ્રતિજ્ઞાથી કોઈ અર્થનું પ્રતિપાદન થતું નથી. અને જો પ્રતિજ્ઞાથી જ અર્થ સ્વીકાર થતો હોય તો કોઈ જાતનો વિવાદ જ ન રહે. “પર્વત વદ્વાન ધૂમાત્” આ પ્રતિજ્ઞાથી ખાત્રી થઈ જાય કે “પહાડ અગ્નિવાળો છે.” તો પછી હું કે તમે કોઈ પણ પ્રતિજ્ઞા કરશું તેનાથી જ વિષયનો બોધ થઈ જશે તો વિખવાદ જ શેનો થાય? પ્રતિજ્ઞામાં તો ક્યાં કોઈ વ્યાપ્તિ વગેરેની ખાત્રી કરવાની છે, સીધી શબ્દો ઉપરથી વાત જ સ્વીકારી લેવાની હોય છે. આ કારણે ઊભી થતી શંકાનું સમાધાન કરતા કહે છે. .
વિષયનાં ઉપદર્શન માટે પ્રતિજ્ઞાનો પ્રયોગ mય છે શા ૧૪. વિષય : જે સ્થળમાં પોતાના સાધ્યની સિદ્ધિ માટે તથોપપત્તિ કે અન્યથાનુપપત્તિ દ્વારા હેતુનો પ્રયોગ કરાય છે, તે સ્થળ અહીં વિષય છે. તે વિષયનું ઉપદર્શન–બીજાના જ્ઞાનમાં બેસાડવા માટે પ્રતિજ્ઞાનો પ્રયોગ કરવો પડે છે. [“સાધ્યવિશિષ્ટ ધર્મની દઢતા પૂર્વક ઉદ્દઘોષણા જેના દ્વારા કરાય તે પ્રતિજ્ઞા” (ઉપનય વાક્યની જેમ પક્ષવચન પણ સાધ્યની પ્રતિનિયતતા બતાવવા જરૂરી છે, તે માટે જ પ્રતિજ્ઞા છે.)]
૧૫. આશય એ છે કે બીજાને સમજાવવા માટે વચનનો પ્રયોગ કરતા બુદ્ધિશાળી વક્તાએ “તે જ સમજાવવું જોઈએ, કે જે તેઓ સમજવા ઇચ્છતા હોય” પરિસ્થિતિ આવી છે માટે જાણવા ઇચ્છેલું હોય તેનું કથન કરનારો વકતા બીજાઓને સમજાવી લે છે.
જેને ઘોડાની બાબતમાં પૂછવામાં આવ્યું હોય તે વ્યક્તિ રોઝનું વિવરણ કરતો હોય તો તે પૂછનાર પ્રત્યે ધ્યાનથી સાંભળવા લાયક વચનેવાળ બનતો નથી. (પ્રશ્નકર્તા તેના વચન ધ્યાનથી સાંભળતો નથી.)
જેનાં વચન ગ્રાહ્ય–ગ્રહણ ધારણ કરવા યોગ્ય નથી તે કેવી રીતે પ્રતિપાદક-વક્તા બની શકે?
જેમ ભિક્ષુવડે પોતાના શિષ્યને કહેવામાં આવ્યું કે હે શિષ્ય! આહાર પાણી લઈ આવો. તે શિષ્ય “હું १ कचिदर्थ-ता०।२ प्रतिज्ञामात्रादर्थप्रतिपत्तेः । ३ विषयप्रद० -ता-मू० । ४ स्वसाध०-डे० ।५ भैक्षान्नम् । ६ -०पानमा०-डे० । ७ करोमि । ८ पिण्डपानार्थम् ९-०ति ब्रुवा ०-ता०।१० निन्दन् ।११ शब्दलक्षणम् । १२ प्रतिपाद्यस्य । १३ प्रथमतः १४ असावधानः ।