Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ તા. ૧૬-૨-૯૮ પ્રબુદ્ધજીવન કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય I પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ-) કેવળજ્ઞાન સંબંધી નિત્યાનિત્ય-પૂર્છાપૂર્ણ વિચારણા: દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી શાસ્ત્રીય વ્યાખ્યા ‘ગુણ પર્યાયવત્ દ્રવ્યમ્' છે. ગુણ સહભાવી એટલે કે નિત્ય છે અને પર્યાય ક્રમભાવી એટલે કે અનિત્ય પણ છે અને નિત્ય પણ છે. દ્રવ્ય એટલે અસ્તિકાય જે નિત્ય છે. એ મૂળાધાર છે અને એ આધેય છે. દ્રવ્ય વિનાનો સ્વતંત્ર ગુણ હોઈ શકે નહિ. ગુણના જુદા જુદા ભેદ એ પર્યાય છે. જેમ દ્રવ્ય નિત્ય છે તેમ ગુણ પણ નિત્ય છે. પરંતુ પર્યાયના બે ભેદ પડે છે. એક ભેદ નિત્ય પર્યાયનો છે અને બીજો ભેદ છે અનિત્ય પર્યાય. ว છે. પરંતુ એ પુદ્ગલપરમાણુનો ધર્મ સ્થાનાંતર કરવાનો છે. તેમ એ પુદ્ગલપરમાણુમાં રહેલ વર્ણ-૨સ-ગંધ-સ્પર્શ ગુણમાં રૂપાંતર ધર્મ છે. જ્યારે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનું જે મૂળ શુદ્ધ સિદ્ધ સ્વરૂપ છે, તેના પ્રદેશનો ધર્મ ક્ષેત્રાંતર ગમનનો નથી હોતો. તે ચારેય અસ્તિકાયના પ્રદેશ સ્થિર રહે છે. તે ક્ષેત્રાંતર ગમન-સ્થળાંતર કરતાં નથી. તે સર્વ પ્રદેશસ્થિરત્વ ગુણધર્મવાળા હોય છે. તેમ તે ચારેય અસ્તિકાયના પ્રદેશમાં રહેલ જે પરમભાવરૂપ ગુણધર્મ છે, તેમાંય રૂપાંતરતા-પરિવર્તનશીલતા કે વિનાશીતા હોતાં નથી, પરંતુ તે તે અસ્તિકાયના પ્રદેશમાં પરમભાવરૂપ ૨હેલ ગુણ નિત્ય-અવિનાશી હોય છે. આવો મહત્ત્વનો અને સિદ્ધના જીવો વચ્ચે છે. જીવદ્રવ્ય વિષે અનાદિકાળથી સંસારમાં મોટો ભેદ પુદ્ગલાસ્તિકાય અને બાકીના ચાર ધર્મ, અધર્મ, આકાશ રહેલા જીવો પુદ્ગલદ્રવ્યના બનેલાં દેહ અને તેના સંયોગવાળા છે. એ સંયોગસંબંધે કરીને પુદ્ગલદ્રવ્યના પ્રદેશનું ક્ષેત્રાંતરગમન અને ગુણનું રૂપાંતરગમન જીવને પણ લાગુ પડી ગયેલ છે. એના એટલે પુદ્ગલના સંયોગે જીવને ચૌદ રાજલોકનો રઝળપાટ-ક્ષેત્રાંતરગમન અને જ્ઞાનાદિગુણમાં ક્રમિકતા, અનિત્યતા આવી ગયેલ છે. તે પણ જીવે પોતાના ગુણ જ્ઞાન-દર્શનાદિએ ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ કરી પુદ્ગલદ્રવ્યના વર્ણ-ગંધ-રસ- સ્પર્શાદિ જે રૂપાંતરગમનવાળા છે તેમાં તેથી જ જીવના-શાન દર્શનાદિ ગુણને રૂપાંતરગમન-અનિત્યતાપરિવર્તનશીલતા-વિનાશીતા-સક્રિયતા-ક્રમિક્તા લાગુ પડી ગયાં. પુદ્ગલદ્રવ્ય તો બાપટું કહે છે કે..... કે પુદ્ગલ દ્રવ્ય વિશે એક પરમાણુથી માંડીને દરેક સ્કંધમાં વર્ણ-સ-ગંધ-સ્પર્શાદિ અનેક પર્યાયોની અનિત્યતા, ક્રમિકતા, ઉત્પાદ-વ્યય યુક્તતા, પરિવર્તનશીલતા, પરિભ્રમણશીલતા, સક્રિયતા છે. પરંતુ પુદ્ગલ સિવાયના બાકીના ચાર અસ્તિકાયના ગુણની સ્થિતિ આવી નથી. એ અસ્તિકાયના ગુણમાં કોઇ ભેદ પડતા નથી. જ્યારે પુદ્ગલાસ્તિકાયમાં ક્ષેત્રક્ષેત્રાંતરતા અર્થાત્ અસ્થિરતા અને રૂપરૂપાંતરતા અર્થાત્ અનિત્યતા એટલે કે પરિભ્રમણશીલતા અને પરિવર્તનશીલતા સદા ચાલુ જ રહે છે. ક્ષેત્રાંતરગમનમાં પુદ્ગલ પરમાણુ કે પુદ્ગલસ્કંધના પ્રદેશનું પરિભ્રમણ-ક્ષેત્રાંતર-સ્થળાંતર થાય → છે પણ તે પરમાણુ કે પ્રદેશનો વિનાશ કે અભાવ થતો નથી. જ્યારે રૂપાંતરતામાં-પરિવર્તનશીલતામાં જે ગુણની અવસ્થા ફરે છે તે અવસ્થા-હાલત-પર્યાયનો નાશ થાય છે. હવે અહીં પ્રશ્ન એ ઊઠે કે જીવાસ્તિકાયનો ગુણ જ્ઞાન છે. અને એ જ્ઞાનગુણના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન આદિ ભેદ પડે છે તો શું ત્યાં અનિત્યતા નહિ ? આત્માના જીવના જ્ઞાનગુણના પુદ્ગલસંયોગ કરીને અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના કારણે ભેદ પડી ગયા છે. આત્માનું આત્માથી અભેદ એવાં સ્વયં અભેદ કેવળજ્ઞાનગુણ મતિ, શ્રુત, અવધિ, મન:મર્યવાદિ ભેદરૂપ થયેલ છે તે જ્ઞાનાવરણીય કર્મના કારણે જ થયેલ છે. આત્માની ગતિ-ગમન તો ભેદમાંથી અભેદ તરફ, અનિત્યમાંથી નિત્ય તરફ પરમાત્મતત્ત્વ તરફ જ છે. જ્ઞાનાવરણીય કર્મનો નાશ થતાં મતિજ્ઞાનાદિ જ કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. વિકૃતિનો પ્રકૃતિમાં લય થાય છે. કર્મનો નાશ એટલે કે કર્મના બદ્ધ સંબંધનો અભાવ, કર્મના સત્તા સંબંધનો અભાવ અને કર્મના ઉદય સંબંધનો અભાવ. સર્વથા કર્મમુક્ત અવસ્થા. લાકડાં બાળો તો છેવટ રાખ રહે પણ કપૂર બાળો તો વાંહે (પાછળ) કાંઇ રહે નહિ. દરિયાના મોજા દરિયામાં લય પામે. અનુત્પન્નમાં જ જે ઉત્પન્ન થયેલ છે તેનો લય થાય છે અર્થાત્ અવ્યયમાં જ લય પામે છે તે વ્યય છે. જીવે ચૌદ રાજલોકના પ્રત્યેક ક્ષેત્રે :: ક્ષેત્રાંતરગમન કર્યું પણ અંતે પોતાના સ્વરૂપમાં આવીને દેહાતીત ગુણો રૂપાંતરધર્મવાળા વિનાશી હોય. થઇને લોકાગ્ર શિખરે સિદ્ધશિલા ઉપર પોતાના આત્મપ્રદેશની અવગાહના પ્રમાણ આકાશાસ્તિકાયમાં સાદિ-અનંત સ્થિર રહે છે. આ પ્રમાણે અનંત શક્તિના ધારક એવા તીર્થંકર પરમાત્મા પણ એક પુદ્ગલ પરમાણુને એક આકાશપ્રદેશમાં સાદિ-અનંત સ્થિર ભાવે મૂકી શકે નહિ. એક પુદ્ગલ પરમાણુ જે આકાશપ્રદેશે રહેલ છે ત્યાંથી ઉત્કૃષ્ટ અસંખ્ય કાળે પણ ક્ષેત્રાંતર કરશે જ ! આ જ તો પુદ્ગલદ્રવ્યની અસ્થિરતા છે. પાંચે અસ્તિકાય પ્રદેશત્વધર્મથી-પ્રદેશપિંડથી નિત્ય છે. એ પુદ્ગલ પરમાણુ પણ અનાદિ-અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ ૯ હે જીવ! તેં મારી પાસે માગ્યું. તારા જેવો પાંચેય અસ્તિકાય અને બનીને યે દ્રવ્યોમાં મહાન સર્વોપરિ મારે આંગણે, મારી પાસે યાચક માંગતો આવ્યો તો હું પુદ્ગલ તને ના કેમ પાડી શકું ? પાસે તો સુખ છે જ નહિ, જે મારી પુદ્ગલની પાસે હતું તે મેં તને જીવ! તેં મારામાં (પુદ્ગલમાં) સુખ જોયું અને સુખ માંગ્યું પણ મારી દઇ દીધું. જે મારી પાસે હતું તે હે જીવ ! તને મેં આપ્યું. ગુણે, ગુણ ઉ૫૨ દષ્ટિ કરી છે. પ્રદેશે, પ્રદેશ ઉપર દષ્ટિ નથી કરી, છતાં ગુણ જે પુદ્ગલના હતાં તે ઉપર જીવના ગુણે ભોગવૃત્તિ અને સુખબુદ્ધિથી દષ્ટિ કરી, તેથી પુદ્ગલ સંયોગે જીવન જ્ઞાનાદિ ગુણ રૂપાંતરગમનવાળા, અનિત્ય અને વિનાશી થયાં. સિદ્ધાંત એ છે કે,... જે દ્રવ્યના ગુણો વિનાશી ધર્મવાળા હોય તે દ્રવ્યના પ્રદેશો ક્ષેત્રાંતરધર્મવાળા અસ્થિર હોય. તેમ . જે દ્રવ્યના પ્રદેશો ક્ષેત્રાંતરધર્મવાળા અસ્થિર હોય તે દ્રવ્યના અને જે દ્રવ્ય પ્રદેશો સ્થિર હોય તેના ગુણ નિત્ય-અવિનાશી હોય. તેમ જે દ્રવ્યના ગુણ નિત્ય-અવિનાશી હોય તે દ્રવ્યના પ્રદેશો સ્થિર હોય. ‘ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્' ઉત્પાદ હોય એનો વ્યય હોયજ પરંતુ જે કાંઈ ઉત્પાદ-વ્યય હોય તે ધ્રુવના-અનુત્પન્નઅવિનાશી-નિત્ય-સ્વયંભૂના આધારે જ હોય! ઉત્પત્તિ, અનુત્પન્નના આધારે હોય અને વ્યય, અવ્યયમાં જ લય પામે, ભરતી દરિયામાં

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148