Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 48
________________ પત્ર પે ૪૩ – કેશવ તરફથી નર્મદને. પત્ર ૫ મે. કેશવ તરફથી નર્મદ ઉપર. વડોદરા, તા. ૫ – + – + પ્રિય નર્મદ, બીજે દિવસે આત્મ-કથન ચાલુ કર્યું – આ દેખાવ જે ત્યારથી મારા વિચારે બદલાઇ ગયા. લગ્ન એ દુઃખનું કારણ નહિ ગણતાં લગ્નની વસ્તુની પસંદગીમાં ખામીને તથા લગ્ન પછી ચલાવવાની વર્તણુકમાં ડહાપણની ખોટને દુઃખનું કારણ ગણવું એવું હવે મને ભાન થયું. પરણવાની ના કહેવાને બદલે વગર પસંદગીએ પરણવાની ના કહેવાના ઠરાવપર આવ્યા. સુભાગ્યે એવામાં એક ઠેકાણું મળી આવ્યું અને મેં તે યોગ્ય તપાસ કરી સ્વિકાર્યું. મને પરણ્યાને આજે ૧૦ વરસ થયાં છે એટલે તે વખતની વાર્તા કરતાં મને શરમને બદલે આનંદ થાય છે. માટે. હું તમને તે વિષે બે અક્ષર વિસ્તારથી કહું છું. તમે આશ્ચર્ય પામશે કે વળી અંગ્રેજો માફક પસંદગીને રીવાજ આપણે શી રીતે અમલમાં મૂકી શકીએ ? ખરું, પણ મારે રસ્તા જુદો જ હતો. સાધારણ રૂપ એ વાત તે પહેલાંજ લેવાની છે. બાહ્ય રૂપની પણ મન ઉપર અસર થયા સિવાય રહેતી નથી. ભમતા મનના યુવાનને ભવિષ્યમાં લાગણીઓ ફેરવવી ન પડે એ માટે આ વાત ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને એ પરીક્ષા કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162