Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૨ મધુમક્ષિક. છે. તથા માત્ર વાંચવાથીજ તે હેતુ પાર પડતો નથી. વાંચ્યાથી બમણું મનન કરવું. સબત ધણી વખતે વિધાર્થીઓને ખરાબ કરે છે. જેમ બને તેમ વિધાર્થીએ સેબત થોડી કરવી. એક બે અભ્યાસના મિત્રો બસ છે; કારણ કે આપણા લોકોમાં બાળકની નીતિ, વર્તન, અભ્યાસ તરફ વડીલે બરાબર કાળજી રાખતા નથી. એથી સોબત કરવા જેવા સારા છોકરા મળી આવવા મુકેલ. કઈ છેકરાના એકાદ બે વિચાર આપણું વિચાર સાથે મળતા આવે એથી એની મિત્રતા કરવા અને તેની સાથે હરવા ફરવા મન થાય છે. અને ધીમે ધીમે અનિયમિત અને ભટકાઉ થઈ જવાય છે. નિશાળનાં લેસન ડાં હોય છે એટલે સાધારણ સારી બુદ્ધિના છોકરાને ફુરસદ વધારે મળે છે. - રમવા, ફરવા, જમવા, સૂવા વિગેરે માટે જોઇતે વખત બાદ કરતાં પણું ઘણે વખત તેમને કામમાં લેવા જેવો રહે છે. નીતિની, અને વધતી ઉમર સાથે વહેવારની ચોપડીઓ વાંચવી, અને વાંચ્યા પછી મનન કરી તેનો સાર કાગળ પર લખી સંગ્રહી રાખ એ, એ વખત એક ઉપયોગ કરવાને રસ્તો છે. | મારી આટલી શિખામણથી પત્ર બંધ કરતી વખતે તારી મમતાળુ મા રીતભાત વિષે થોડીક શિક્ષા નીચે લખે છે તે તરફ હું તારું ચિત્ત ખેંચું છું. જેમ બને તેમ બોલવાનું થોડું રાખવું. ખાસ કરીને તાર વડીલો પાસે અને અજાણ્યા માણસ પાસે તે જેમ બને તેમ શબ્દ તળીને કાઢવો. રખેને તાગ દેવ બહાર પડી જાય એ સાવચેતીમાં રહેવું. મુંગા રહેવાથી આ સપાસ બોલનારા લોકોનું જ્ઞાન, અનુભવ, ડહાપણ વિગેરે શિખવાને લાભ મળશે પણ વચ્ચે બોલવાથી એ તક જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162