________________
૩૪૦
આનંદ પ્રવચન દર્શન કેઈથી કેઈપણ રીતે આવા શક્ય નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું વચન તમે જાણતા હો યા ન જાણતા હો તો પણ તમે સંસારની પાપપ્રવૃત્તિ છે તેમાં ધસી રહ્યા છે અને એ વ્યવહાર તમારે હાથે ઘડાયે જ જાય છે. એ વ્યવહારમાંથી તમને ચેતાવીને સાવચેત કરનારું જો કેઈપણ શાસ્ત્ર હોય તે તે શ્રીમાન જિનેશ્વરદેવનું શાસન છે.
મોટામાં મોટો ઉપકારભગવાન જિનેશ્વરદેવને જે આપણું પર કે ઈ મેટામાં મેટે. ઉપકાર હોય તે તે એ છે કે તેમણે આપણને સદગતિના અને દુર્ગતિના રસ્તા બતાવ્યા છે; સંસારગતિ કેવી રીતે ટાળી શકાય, મેક્ષ કેવી રીતે મેળવી શકાય, કર્મ આવવાનાં કારણે કેવી રીતે રોકી શકાય, કર્મ કેવી રીતે બાંધી શકાય એ સઘળી વાતે શ્રીમાનું જિનેશ્વરદેવોએ પિતાના જ્ઞાનથી જાણુને આપણી આગળ પ્રત્યક્ષ કરી છે. અને તે શ્રીમાનું જિનેશ્વરદેવોને આપણું ઉપરને ભવ્ય ઉપકાર છે.
આપણે શ્રીમાનું જિનેન્દ્રદેવને પૂજીએ છીએ, તેમને આરાધીએ છીએ, તેમનું ગુણગૌરવ કરીએ છીએ, તે સઘળાનું કારણ આ એક જ છે. તમે દીવામાં તેલ પૂરો અને દી સળગાવે છે એ દીવો તમારે રોજમેળ લખી આપતું નથી, તે તમારા હીરા પારખી. આપતું નથી, તમારા ઘરનો કચરો સાફ કરી આપતો નથી, પરંતુ દીવાનું જે અજવાળું છે તે તમે એના તેજથી તમારાં સઘળાં કામે. કરી શકે છે. કેઈ એમ કહેશે કે દીવા વિના પણ માણસ પોતે પિતાના અનુભવ અને અનુમાનને આધારે કામ કરી શકે છે અને તેને પ્રકાશની જરૂર પડતી નથી, તે પછી પ્રકાશ આવશ્યક છે એમ શા માટે માની લેવું જોઈએ?
અંધકાર અને પ્રકાશ. . આ વાત સાચી નથી. તમે અનુભવ અને અનુમાનને આધારે કામ કરે છે એ વાત સાચી છે. પરંતુ તમને અનુભવ અને અનુમાનની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય છે કે જ્યારે તમે પહેલાં એ બાબતની ટ્રેનિંગ લો છે. વારંવાર તમે પ્રકાશમાં વાળ્યું હોય તો.