________________
૪૭૪
આનંદ પ્રવચન દરશ ન તેની કઈ દશા ? કોડ ગયા, હીરાને બદલે કાચ મળે અને જે જાહેરમાં રૂએ તે બેવકૂફ બને! એની હાલત તે કેઠીમાં મોં રાખીને રવાની જ થાયને ! કેમ કે ભૂલ કાચની નથી, ભૂલ પોતાની છે. કાચના ટુકડાને વિશ્વાસઘાની ન કહેવાય
રાજન! તેમ તે પણ કાચ ટુકડાને હીરો માનવાની ભૂલ કરી હતી.
આશ્ચર્ય છે કે જગતના જ પિતાની ભૂલને રેતા નથી, પિતાના મિથ્યામતને રેતા નથી અને કાચને કકળાટ કરે છે ! પ્રથમ તે હીરાની બુદ્ધિએ કાચ હાથમાં લીધે તે મૂર્ખાઈ! અને પછી રવા બેઠે તે બીજી મૂર્ખાઈ !! આવી મૂર્ખાઈએ પોતે કરવી અને ઉપરથી પાણીમાં બાચકાં ભરવાં! ! ! એથી હાથમાં શું આવે?
જગતના તમામ પદાર્થો કાચ જેવા અસાર અને ક્ષણભંગુર છે, મૂખ એ ઝવેરી હીરાની બુદ્ધિએ કાચ લેવાની ભૂલ કરે, પછી કાચ તે કાચ તરીકે માલૂમ પડે ત્યારે માથું ફેડે, અરે ! રાતું કાઢે. તેથી કાચ કાંઈ કાચ મટી હીરે થઈ જાય ખરે? એ જ રીતે કાચ જેવી સંસારની માયાને હીરો ગણવામાં આવે તેથી તે કાચ જેવી માયા હીરા રૂપ શી રીતે બને?
રાજન્ ! તેં કુવરને તાર માનવામાં ભૂલ કરી છે. તારા બેલાને વવાથી એ આવ્યો નહોતો. તેમજ તે કાંઈ એને જવાનું કહ્યું નથી! આયુષ્યાનુસાર જીવન ભેગવી, લેણદેણને હિસાબ પતી જતાં એને. જવું પડયું ! તારો હેત તે જાત શા માટે ? અફસ વ્યર્થ છે. દુનિયા અજબ છે.
દુનિયાને વ્યવહાર પણ તે જ છે. કેઈ મરી જાય ત્યારે. પાડોશીઓ પ્રથમ સાથે જોવા માંડે છે અને પછી હાથ પકડી છાના રાખવાનું કામ પણ તેઓ જ કરે છે. છાના રાખનારા પણ પિતાને ઘેર પ્રસંગ આવે, ત્યારે રોક્કળ કર્યા વિના નથી જ રહેતા. બીજાને છાના રાખવાનું સમજાવનારાની સમજણ તે વખતે ક્યાં જાય છે