________________
૪૬૮
આનંદ પ્રવચન દર્શન સાચું સ્વરૂપ સમજવામાં આવ્યું, ત્યાં કાચના કટકા કેટલા છેડયા તેની કિંમત નહિ. સમ્યકૃત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવત, શ્રીમંત માંડલિક પોતે હતો તેની કિંમત હવે રહેતી નથી. કાચના કેટલા કટકા છોડ્યા તેની સમજણ વખતે તેની કિંમત નથી.
તેમ સમ્યફવ–સામાયિક આવે, ત્યાં ચકવતી કે દરિદ્રી બધા સર્વ સાવધના ત્યાગી હોય તેમાં કોઈ જાતને ફરક નથી. તેનું તેનું કારણ? “અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા. તેવી રીતે અહીં સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તો બધા કાંટા વધાર્યા હતા. કેઈ પડે એક કાંટા પર, કેઈ પડે આખી ડાળી ઉપર, કોઈ પડે આખા ભારા ઉપર. આ પદગલિક પદાર્થોની જે અધિક સંખ્યાને તે ભારે છે. આ તો કાંટાને ઉપાડે, ભારે છે. શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાને સજ્જડ ડર લાગે છે કે જેથી તેને લીધે નિયાણું કરનારા થાય કે “આવતે ભવે મને ઋદ્ધિ બુદ્ધિ કે કુટુંબકબીલે ન મળજો.” એવું નિયાણું કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે. નિયાણું કરવાને નિષેધ કેમ?
જીવતો જાઉં છું પણ સામે મનુષ્ય ને આવજો એમ શૂરવીર ન બોલે. રૂ–જાપાનીઝ વેરની વખતે રશિયન સ્ટીમર તળિયે પહોંચી ગઈ. જર્મન ચાન્સેલરને કહેવડાવ્યું, “કાઢે બહાર !” રશિયન સ્ટીમર છે. ત્યાં આનાકાની કરે તો તે કામ ન આવે. “કાં તો બહાર કાઢે, કાં તે લડાઈમાં ઊતર!” જે ઊતરી પડે તેની સામા લડવું છે. તેમ આત્મા એવી રીતે કેળવા જોઈએ કે ગમે તેટલી ઋદ્ધિ, સમૃદ્ધિ હોય, તેને તોડી નાંખવાને હું તાકાતવાન્ છું.” રશિયા એકલું ઊતરે કે જર્મન સાથે ઊતરે. તેમ આ આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરે તે વખતે કેe આડું આવશે તેની દરકાર નહિ કરે.
ચક્રરત્ન ઉપર જેને ભરોસે છે તે કેણ શત્રુ હશે ? કેણ, આગળ આવશે? તેની ચિંતા કરે નહિ. જેણે કર્મદલને સામાયિકરૂપી