________________
આજનું કપડું ચારિત્રપાલન
૩૯ તાત્પર્ય કે આજના ચારિત્રમાં આવાં બાહ્ય ઈચ્છાને લલચાવનારાં કારણેને અભાવ હોવાથી કલ્યાણબુદ્ધિ જ મુખ્યત્વે હેવાને સંભવ ગણાય. આજે કલ્યાણબુદ્ધિ નથી એમ કેમ કહી શકાય? આજે ઘરબાર વગેરેને સદંતર ત્યાગ કઈ લાલચે થાય છે? ક્રિયાના ઉથાપકે આજના ચારિત્રને ઉડાવવા ઈચ્છે છે એ જ છે, બાકી અત્યારના ચારિત્રમાં કલ્યાણબુદ્ધિ રહી હોય એમ સહજ માની શકાય તેમ છે. વળી દુકાનેશેઠની હાજરીમાં મુનિમ વફાદારી રાખે તેમાં કાંઈ નવાઈ નથી. હાજરીમાં તે વફાદારી ન છૂટકે પણ રાખવી પડે છે, શેઠની ગેરહાજરીમાંરખાયેલી વફાદારી તે ખરેખર સારી વફાદારી છે.
ચેથા આરામાં તે જ્ઞાનીઓ વિદ્યમાન હતા, દેવતાઓ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયા તે આ, અમુક ધર્મ કરવાથી અમુક રાજા થયો તે આ, તથા અમુક પાપથી અમુક જીવ નરકે ઉત્પન્ન થયો કે ખાળમાં ઉત્પન્ન થયે કે મૃત્યુ કે ભયંકર વ્યાધિગ્રસ્ત થયે હતું તે આ–એમ પણ ખુલાસા મળતા હતા. મન પર્યાવજ્ઞાની તથા અવધિજ્ઞાની દ્વારા પણ જાણી શકાતું હતું ધર્મને લાભ, પાપની શિક્ષા જ્યારે નજરે દેખાય તે વખતે તે ધર્મ પ્રત્યે વફાદારી રહે તેમાં નવાઈ નથી. તે વખતે તે ધર્મની આચરણથાય તે સહજ છે પણ આજે જ્ઞાનીની ગેરહાજરીમાં, પ્રત્યક્ષદાખલાઓ જોવા જાણવાના અભાવમાં વફાદારી સચવાય તે ખરે જ કિંમતી છે. આજે ચારિત્ર લેવાય અગર ધર્મઆચરણ કરાય તે જરૂર કિંમતી. છે તથા તેમાં કલ્યાણની બુદ્ધિને ઘણું જ સંભવ છે.
વળી પ્રાચીનકાળમાં ભેગની સામગ્રી સામાન્ય જનતા માટે મુકેલ હતી, અને ઘણું ઓછી હતી, જ્યારે આજે સામાન્ય જનતા પણ તમામ માજશેખ જોગવી શકે છે, વળી તે વખતે તે કઈ રાજા-મહારાજા અમુક નાટક કરાવે તેમાં અમુકને જ નોતરું નાટિકે. જે તે મનુષ્ય જોઈ શકતા નહોતા. આજ તો બે ચાર રૂપિયા ખર્ચનારે અફલાતુન નાટક અને સિનેમાદિ જોઈ શકે છે. તે વખતે નાટક, પોષાક,અલંકારાદિ ઉપર રાજ્ય તરફથી તથા નાતજાત તરફથી પણ અંકુશ.