Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 150
________________ જીવજીવન અને જડજીવન ૪પ૭ હોય તે તેને ઢોંગી, લુચ્ચો કહી દઈએ છીએ! જમાઈ હોય તે તેને કહો છે, “બે દહાડા જમી જજે પણ પૈસા પૈસાની વાત ન કરશે.” વિચારશે તે જણાશે કે શાસ્ત્ર અને અનાથની જડ કહે છે. રાગી દોષને દેખતા નથી. તમને પૈસા તરફ એવી વિચિત્ર રાગ-દષ્ટિ થએલી છે કે પૈસા માટે મા સાથે, બાપ સાથે, બાયડી સાથે લડવા અને દરિયામાં ડૂબકી ખાવા તૈયાર છે. આટલી રાગ દષ્ટિ જેને પૈસા ‘ઉપર છે, એ મનુષ્યને પૈસા અનર્થનું મૂળ છે, એ કેમ ધ્યાનમાં આવે? જ જરૂતિ ની વાન, જે પિસાને પરમેશ્વર તરીકે માનનારા છે -તેણે દેરાસરના પરમેશ્વરને આઘા મૂકયા છે. અંતઃકરણના પરમેશ્વરને કંઈ પણ બાધ આવે એ ન પાલવે. એ વખતે દેરાસરના પરમેશ્વર પર પ્રીતિ રહે છે? કયા પરમેશ્વર પર પ્રીતિ રહે છે ? અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારે. સાર અને અસારના મુકાબલામાં સારને હણ કરે. અહીં શ્રદ્ધાની ખબર પડે. જેના ઘરમાં ચોરો પિોટલા બાંધે છે. છતાં જેનું એકપણ રૂંવાડું ‘ઊંચું થતું નથી. આ ધારણાઓ શી રીતે રહી શકે? એક જ હતું તેમને પેલા દેરાસરના પરમેશ્વર હતા. સુલસાની પાસે દેવ આવ્યો. જે વખતે ૧૪૦૦ નવ દીક્ષિતો ભગવાન મહાવીર સ્વામીને હતા. ગૌતમસ્વામિને પ૦૦૦ હતા. આજ તે પાંચસો સાધુઓ છે. તે વખતે અશન, પાન, ખાન વગેરેની મંત્રણને વિધિ કર્યો. બે સાધુ લક્ષપાક તેલ લેવા સુલસાને ત્યાં આવ્યા. સાધુએ ગૃહસ્થને ત્યાં વગર જેએલી વસ્તુ ન માગવી. છતાં ઔષધ ભેષજ હતું તેથી લક્ષપાક તેલ માગ્યું. એક લાખ રૂપિયાનું તે લક્ષપાક તેલ છે. સુલસા એક સીસે લાવે, એટલે દેવતા ફેડી નાખે. આ વખતે મનને પૂછી જોઈએ. અકમી દૂધ લેવા જાય તે ભેંસ મરી જાય એવા સાધુ છે કે તેમને તેલ આપવા જતાં આ શીશે ફૂટી જાય, અને એક જ વિચાર થાય છે, ઢળાઈ ગયું પણ બીજો વિચાર થતું નથી. આ શુદ્ધ પાત્ર, શુદ્ધ બીજ, શુદ્ધ વસ્તુ છતાં ' મને લાભ ન મળે. આવા મનના મોતીના ચેક તો પૂરી જાઓ. :

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176