________________
જેન કેણ ?
૧૧, લાખની કેથળી આદિ કરતાં જીવ વહાલે કેમ? આપણા આ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણું દશા ચૌટાના ચાકસી જેવી જ છે. મારું એનું પચીસ રૂપિયે તેલો, પણ તારું સોનું પેસે તેલો ! એ દશામાં જ આપણે છીએ. મરતા મનુષ્યને તમે એક લાખ રૂપિયાની સોનાની કેથળી અને એક વર્ષની જિંદગી આપીને એ બેમાંથી ગમે તે એક ચીજ લેવાનું કહેશે તે તે કદી પણ સેનાની કેથળીને પસંદ નહિ કરે, પરંતુ એક વર્ષની જિંદગીને જ પસંદ કરશે. સૌધર્મ દેવલોકન ઈદ્ર હોય યા તે હળાહળ નર્કને . કિડો હોય, પરંતુ તે બને જિંદગીને જ પસંદ કરે છે.
તુર્કસ્તાનના સુલતાને પોતાની રાજગાદીનું રાજીનામું આપી દીધું હતું. ઈરાનના શાહે પણ ગાદીનો ત્યાગ કર્યો હતે, રશિયાના ઝારે પણ ગાદી છોડી હતી, જર્મન કેસરે પણ સિંહાસનનો ત્યાગ કર્યો હતો અને સ્પેનના રાજાએ પણ રાજગાદીને ત્યાગ કરીને પણ પોતાની જિંદગી . બચાવી હતી. જિંદગી રાખીને પણ તેમણે રાજગાદીને લાત મારી હતી. પરંતુ તેમાંથી પણ કેઈ એ નીકળે ન હતો કે જેણે રાજગાદીને. ખાતર જીવ આપ્યો હોય!
આપણે આપણી વર્તમાન જિંદગીમાં આપણી બધાની સ્થિતિ જોઈએ છીએ કે આપણે જીવ બચાવવા ખાતર આપણો કોઈપણ ભાગ આપવા તૈયાર થઈએ છીએ. જો એમ ન હોત તે આ બધાએ રાજગાદીનાં રાજીનામાં ન આપ્યાં હોત અને જીવને બચાવ્યો હોત. પોતાને પિતાને જીવ દેશના આખા રાજ્ય કરતાં વધારે મૂલ્યવાન માલુમ પડયો છે, તો વિચાર કરો કે આપણને બીજાને જીવ આપણા જીવના જે યે દિવસે વહાલો લાગ્યો હતો જે દરેકને જીવનું મૂલ્ય ચૌદ રાજલોક કરતાં અધિક લાગે છે, પરંતુ એ કિંમત દરેકને પોતાના આત્મા માટે લાગે છે. બીજાના આત્માની એવી મહામૂલ્યવાન કિંમત કોઈપણ જીવને માલુમ પડતી નથી ?
આપણે આપણું જીવમાં અને બીજાના જીવમાં ફરક ન જ માન્ય