Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
दसबंमचेरसमाहिठाणा पण्णत्ता ।" ઓગણત્રીસમા અધ્યયનના પ્રારંભમાં આ વાક્ય પ્રાપ્ત થાય છે "સુયં ને મારાં ! तेणं भगवया एवमखायं इह खलु सम्मत्त परक्कमे नामऽज्झयणे समणेणं भगवया महावीरेण कासवेणं पवेइए ।"
ઉપરોક્ત વાક્યોથી સ્પષ્ટ થાય છે કે બીજું અને ઓગણત્રીસમું અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત છે અને સોળમું અધ્યયન Wવીરો દ્વારા રચિત છે.
જ્યારે આપણે ઊંડાણથી આ વિષયમાં ચિંતન કરીએ છીએ ત્યારે સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ થાય છે કે નિયુક્તિકારે ઉત્તરાધ્યયનને કર્તુત્વની દષ્ટિએ ચાર વિભાગોમાં વિભક્ત કરી તે વિષે પ્રકાશ પાડ્યો છે. પણ તેનાથી કર્તુત્વની સાબિતી મળતી નથી પરંતુ વિષય વસ્તુ પર પ્રકાશ પડે છે. દશમા અધ્યયનમાં જે વિષય વસ્તુ છે, તે ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત છે, પરંતુ તેમના દ્વારા રચિત નથી. કેમ કે પ્રસ્તુત અધ્યયનની અંતિમ ગાથા વુદ્ધસ નિલમ માલિ'થી આ વાત સ્પષ્ટ થાય છે. તે જ રીતે બીજા અને ઓગણત્રીસમા અધ્યયનનાં પ્રારંભિક વાક્યોથી પણ આ તથ્ય પ્રકાશિત થાય છે.
છઠ્ઠા અધ્યયનની અંતિમ ગાથા છે, અનુત્તરજ્ઞાની, અનુત્તર દર્શી, અનુત્તર જ્ઞાનદર્શનના ધારક, અરિહંત, જ્ઞાતપુત્ર ભગવાન, વૈશાલિક મહાવીરે આમ કહ્યું છે. વૈશાલિક'નો અર્થ ભગવાન મહાવીર છે.
પ્રત્યેક બુદ્ધ ભાષિત અધ્યયન પણ પ્રત્યેક બુદ્ધ દ્વારા જ રચવામાં આવ્યા હોય, એવું નથી. કેમ કે આઠમા અધ્યયનની અંતિમ ગાથામાં એ કહ્યું છે કે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ રીતે ધર્મ કહ્યો છે. જે તેની સમ્યફ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. જો આ અધ્યયન કપિલ દ્વારા વિરચિત હોય તો તેઓ આ રીતે કેમ કહી શકે?
સંવાદસમુસ્થિત અધ્યયન નવમા અને ત્રેવીસમા અધ્યયનનું અવલોકન કરતા
42