Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨ પરીષહ
ઉપકરણ વગેરે, ખિન્ન = સદા, ગાયં દોડ્ડ = માંગવાથી જ મળે છે, માંગીને જ લેવાના હોય છે, આશા માંગ્યા વગર, આજ્ઞા લીધા વિના, વિ - કોઈ પણ વસ્તુ, અસ્થિ ન મળતી નથી. ભાવાર્થ :- વાસ્તવમાં અણગાર ભિક્ષની આ ચર્યા હંમેશાં કઠિન જ હોય છે કે તેને વસ્ત્ર, પાત્ર, આહાર વગેરે બધું યાચનાથી મળે છે. તેને કંઈ પણ માગ્યા વિના પ્રાપ્ત થતું નથી. २९ गोयरग्ग पविट्ठस्स, पाणी णो सुप्पसारए ।
सेओ अगारवासु त्ति, इइ भिक्खू ण चिंतए ॥२९॥ શબ્દાર્થ :- રોયરા વક્સ - ગોચરી માટે ગયેલા સાધુનો, વળી હાથ, જે સુપર - સહજ રીતે લંબાતો નથી, મારવા, રિ - ગૃહસ્થાશ્રમ જ, સેગો = સારો છે, રૂ = આ રીતે, fમfq = સાધુ, પ રિંતર = વિચાર પણ ન કરે. ભાવાર્થ :- ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં આવેલા સાધુને પોતાનો હાથ લાંબો કરવો, તે સરળ નથી. તે ઘણું કઠિન છે. આના કરતાં તો "ગૃહસ્થવાસ એ જ શ્રેષ્ઠ છે" એમ ભિક્ષુ ચિંતવે નહિ, વિચારે નહીં. વિવેચન :
ભિક્ષુને વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી, ઉપાશ્રય આદિ પ્રાપ્ત કરવાં માટે ગૃહસ્થો પાસે યાચના કરવી પડે છે. તે યાચનામાં દીનતા, હીનતા, ખુશામત, વાચાળતા વગેરે હોતા નથી. વિવેક અને સદાચારપૂર્વક સ્વધર્મ પાળનાર્થે કે સંયમયાત્રાના નિર્વાહ અર્થે યાચના કરવી, તે સાધુનો ધર્મ છે. આમ જે વિધિપૂર્વક આત્મભાવમાં રમણ કરતાં દરેક વસ્તુની યાચના કરીને જ ગ્રહણ કરે અને આ રીતે યાચના કરવામાં લજ્જાનો અનુભવ કરે નહીં, તે યાચના પરીષહ વિજયી બને છે. પાળા નો સુપર:- યાચના કરનારે બીજાની સામે હાથ લાંબો કરીને માંગવું કે 'મને આપો, એ ખૂબ જ કઠિન છે. કોઈ પણ વસ્તુની યાચના કરવી, એ એક પ્રકારના મરણ સમાન છે, માટે તેને પરીષહમાં સ્થાન આપ્યું છે. (૧૫) અલાભ પરીષહ :
, પરંતુ વાસનસિના, ભોયણે પરિપિ ३०
| ન fપડે તહેવા, બાપુતખેજ ડિઇ રૂ૦ || શબ્દાર્થ - બોયને ભોજન, - તૈયાર થઈ જવા પર, જસુ - ગૃહસ્થોને ત્યાં, પાસ - આહારની, સજ્ઞા યાચના કરે, fઉકે, આહાર, તહે-મળે, વા - કેઅનપ્લેન મળે તો પણ, પતિ - પ્રજ્ઞાવાન સાધુ, બાપુતખેગન - ખેદ કરે નહીં કે, દુઃખી થાય નહીં. ભાવાર્થ :- ગૃહસ્થો માટે તૈયાર થયેલાં ભોજનમાંથી ભિક્ષુ આહારની ગવેષણા કરે. આમ ગવેષણા