Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
| ૪૧૯ |
ગામમાં કોઈ રક્ષક, સહાયક કે મિત્ર પણ મારે ન હતા અર્થાત્ કોઈ પણ મને ન મળ્યા. હું પૂર્ણ અસહાય હતો. oઇ બાદ જ જિન :- શ્રેણિક રાજાનો કહેવાનો ભાવ એ છે કે 'યત્રાનિસ્તત્ર : વનિ એ ન્યાયે આપની આકૃતિ અનાથતાનો નિષેધ કરે છે. આપની આકૃતિ જ આપની સનાથતાની સાક્ષી પૂરે છે. જ્યાં ભવ્ય આકૃતિ હોય, ત્યાં ગુણ હોય છે. જ્યાં ગુણ હોય છે, ત્યાં ધન હોય છે. જ્યાં ધન હોય છે, ત્યાં 'શ્રી' હોય અને શ્રીમાં પ્રભુતા હોય છે, એવી લોકશ્રુતિ છે. આ રીતે અનાથતાની આપશ્રીમાં કોઈ જ સંભાવના લાગતી નથી. હોમિ બાહો મચંતા:- શ્રેણિક રાજા કહે છે આવું હોવા છતાં પણ જો આપ વાસ્તવમાં અનાથ હો તો હું આપનો નાથ બનવા તૈયાર છું. આપ સનાથ બની મિત્ર, જ્ઞાતિજન સહિત યથેચ્છ ભોગોને ભોગવો અને દુર્લભ મનુષ્યભવને સાર્થક કરો. માણા રૂરલં ૨ મે - (૧) આજ્ઞા – અખ્ખલિત શાસનરૂપ સત્તા અને ઐશ્વર્ય – દ્રવ્યાદિ સમૃદ્ધિ (૨) આજ્ઞા સહિત પ્રભુત્વ, બંને મારી પાસે છે.
રાજા ભૌતિક સમૃદ્ધિ અને પ્રચુર ભોગ સામગ્રીના સ્વામીને જ 'નાથ' સમજી રહ્યો હતો, તેથી મુનિએ તેને કહ્યું, તમે 'સનાથ' અને 'અનાથ'ના ભેદને જાણતા નથી. અનાથતાની વ્યાખ્યા :१७ सुणेह मे महाराय, अव्वक्खित्तेण चेयसा ।
जहा अणाहो भवइ, जहा मेयं पवत्तियं ॥१७॥ શબ્દાર્થ :- મહારાજ = હે મહારાજ !, અવિરેન વેયસ = એકાગ્ર ચિત્તથી, સ્વસ્થ ચિત્તથી, ને મારા પાસેથી, સુદ સાંભળો, ન- જેમ આ જીવ, અTIો- અનાથ, ભવ૬ - થાય છે, અહીં જે રીતે, ને = મેં, ડું = આ અનાથતાની, પત્તયં = પ્રરૂપણા કરી છે, પ્રયોગ કર્યો છે.
ભાવાર્થ :- હે મહારાજા ! જીવ જેવી રીતે અનાથ થાય છે, તે મારા પાસેથી એકાગ્ર ચિત્તે સાંભળો.
कोसंबी णाम णयरी, पुराण-पुरभेयणी । १८ तत्थ आसी पिया मज्झ, पभूय-धणसंचओ ॥१८॥ શબ્દાર્થ – પુરાણ-પુરમેળા - પોતાની વિશેષતાઓથી અતિપ્રાચીન અને પ્રધાન, વોલવી - કોસાંબી, ગામ : નામે, ઇયરી - નગરી, તત્વ - ત્યાં, ભૂ-ધારો - ઘણાં ધનના સંચયવાળા, મણ - મારા, પિયા - પિતા, આરી - રહેતા હતા.