Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૮: કપિલીય
[ ૧૪૩ ]
भोगामिसदोस विसण्णे, हियणिस्सेयस बुद्धिवोच्चत्थे ।
बाले य मंदिए मूढे, बज्झइ मच्छिया व खेलम्मि ॥५॥ શબ્દાર્થ :- મોનિકોલ વિલum -ભોગાસક્તિરૂપ દોષોમાં આસક્ત,
દિલ્લેયરવૃદ્ધિ વોન્વેન્થ = પોતાના હિત અને કલ્યાણમાં વિપરીત બુદ્ધિવાળા, મ = ધર્મમાં આળસુ, મંદબુદ્ધિ, મુદે - મોહથી, અવિવેકથી મૂઢ ચિત્તવાળા, વાને - અજ્ઞાની જીવ, મછિયા વ - માખી સમાન, હાનિ - કફના બળખામાં, વા- ફસાઈ જાય છે, સંસારમાં ફસાઈ જાય છે. ભાવાર્થ :- આત્માને દૂષિત બનાવનાર શબ્દાદિ મનોજ્ઞ વિષયભોગમાં આસક્ત અથવા ભોગરૂપ કીચડમાં ફસાયેલો તથા હિતકારી અને કલ્યાણકારી મોક્ષમાર્ગ પ્રત્યે વિપરીત બુદ્ધિવાળા, અજ્ઞાની અથવા આળસુ અને વિવેકહીન પ્રાણી કફમાં પડેલી માખીની જેમ સંસારમાં ફસાઈ જાય છે.
दुपरिच्चया इमे कामा, णो सुजहा अधीरपुरिसेहिं ।
अह सति सुव्वया साहू, जे तरति अतरं वणिया व ॥६॥ શબ્દાર્થ - ફ -આ, જેના કામભોગોનો, દુન્દ્રિય પરિત્યાગ કરવો ખૂબ જ કઠણ છે, અધીર પુરસર્દિ = અધીર પુરુષોથી, કાયર પુરુષોથી, જો સુકા = સહજ છોડી શકાતા નથી, પ્રદ - પરંતુ, ને = જે, સુષ્યથા - સુંદર વ્રતવાળા, મહાવ્રતધારી, સાદૂ- સાધુ, સતિ છે, અતર-દુસ્તર આ સંસારને, વા વવણિકની જેમ (વેપાર માટે સમુદ્રની યાત્રા કરનાર), તાંતિ- પાર કરી જાય
છે.
ભાવાર્થ :- આ ઇન્દ્રિયવિષયોનો કે કામભોગોનો ત્યાગ બહુ કઠિન છે, અધીર કે કાયર જીવો સહેલાઈથી તેને છોડી શકતા નથી પરંતુ જેમ વણિક નાવ વગેરે દ્વારા દુસ્તર સમુદ્રને પણ પાર કરી જાય છે, તેમ મહાવ્રતોનું સારી રીતે પાલન કરનાર સાધુ આ વિષયભોગરૂપી અપાર સંસારને પાર કરી જાય છે અર્થાત્ તે સહેલાઈથી સમસ્ત ઇન્દ્રિય સુખોનો ત્યાગ કરે છે.
વિવેચન :
નદં :-કલહનો અર્થ અહીં ક્રોધ છે, કેમ કે તે કલહનું કારણ છે અથવા કલહનો અર્થ છે ખરાબ ગાળો બોલવી, ઝગડવું વગેરે. તા:- (૧) દુર્ગતિથી આત્માની જે રક્ષા કરે તે ત્રાયી. (૨) જે ષકાયના અર્થાત્ છકાય જીવના રક્ષક છે તે ત્રાતા.
થે - (૧) કષાય રૂપી ગ્રંથિઓ. (૨) બાહ્ય આત્યંતર પરિગ્રહરૂપ ગ્રંથિઓ. (૩) આસક્તિરૂપ ગ્રંથિઓ. આમિષઃ- (૧) વર્તમાનમાં 'આમિષ'નો અર્થ માંસ' કરવામાં આવે છે. (૨) આગમમાં આસક્તિના