Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૯૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિડીય - દુઃખી થાય છે. ભાવાર્થ :- ધર્મને પાછળ રાખનાર વ્યક્તિ પૂર્વ જીવનમાં ધર્મ પ્રાપ્ત કરતા નથી, તે પશ્ચાત્ જીવનમાં પણ ધર્મ પ્રાપ્ત કરી શક્તા નથી. અંતિમ સમયમાં ધર્માચરણ કરી લેશું, એવી વિચારણા શું ભવિષ્યને જાણનાર માટે ઉચિત થઈ શકે છે? ધર્મને ભવિષ્ય માટે રાખનાર સામાન્ય જ્ઞાની વ્યક્તિ આયુષ્ય શિથિલ થાય, મૃત્યુકાળ નજીક આવી જાય, શરીર છૂટે, ત્યારે ધર્માચરણ વિના અતિ દુઃખી થાય છે. १० खिप्पं ण सक्केइ विवेगमेडं, तम्हा समुट्ठाय पहाय कामे ।
समिच्च लोयं समया महेसी, आयाणरक्खी चरेऽप्पमत्तो ॥१०॥ શબ્દાર્થ – હિષ્ય મરતાં સમયે શીવ્ર, વિવેકાનેક ધર્મનો વિવેક પામવોજ સવ-શક્ય નથી, તન્હા = માટે, આથાપારહ - આત્માની રક્ષા કરનાર, આત્મરક્ષણ કરતાં, મરી - મોક્ષાર્થી મુનિ, મહર્ષિ, ને - કામભોગોનો, પહાય - ત્યાગ કરીને, તો - લોકનું સ્વરૂપ, સમય - સમભાવપૂર્વક, સમ્યગુરૂપે, સમિગ્ન = જાણીને સમજીને, મધ્યમો = પ્રમાદ રહિત થઈને, સમુદાય = સાવધાનીપૂર્વક, સંયમમાં ઉપસ્થિત થઈને, ઘરે- વિચરણ કરે.
ભાવાર્થ :- કોઈ પણ વ્યક્તિ મૃત્યુ સમયે તત્કાલ આત્મવિવેક પ્રાપ્ત કરી શકતી નથી, તેથી મૃત્યુ આવે તે પહેલાં જ કામ ભોગોનો ત્યાગ કરી સંયમપથ પર દઢતાથી સ્થિર થવું જોઈએ. વિશ્વનાં સમસ્ત પ્રાણીઓનો વિચાર કરી મહર્ષિએ તેના પ્રત્યે સમત્વદષ્ટિ રાખવી. આત્મરક્ષણ કરતાં સંયમમાં અપ્રમાદપણે વિચરણ કરવું જોઈએ.
કષ્ટસહિષ્ણુતા :११ मुहं मुहं मोह गुणे जयंत, अणेग-रूवा समणं चरंतं ।
फासा फुसति असमंजसं च, ण तेसु भिक्खू मणसा पउस्से ॥११॥ શદાર્થ - મોજુ- શબ્દાદિ મોહ ગુણોને, મુલું મુકું- વારંવાર, નિરંતર, જયંત - જીતીને, વરત - સંયમમાર્ગમાં વિચરતાં, સમr - સાધુને, અગવ = એક પ્રકારનાં, પાસા = કષ્ટો, મનનાં - પ્રતિકૂળ રૂપથી, સ્તુતિ- સ્પર્શ કરે છે, આવે છે, બહૂ = સાધુ, તેલુ- તે કષ્ટોમાં, માસ = મનથી પણ, પડસે દ્વેષ ન કરે, સમપરિણામોથી સહન કરે. ભાવાર્થ :- મોહગુણો અર્થાત્ રાગદ્વેષયુકત પરિણામો ઉપર વિજય મેળવવા વારંવાર યત્નશીલ રહેવું જોઈએ, અનેક પ્રકારે શ્રમણ ધર્મનું પાલન કરતાં શ્રમણને વિદ્ગકારક ઘણા આક્રોશ, વધ વગેરે કષ્ટો પીડિત કરે છે પરંતુ સંયમી સાધક કોઈના પ્રત્યે મનમાં લેશમાત્ર પણ દ્વેષ ભાવ કરે નહીં અર્થાત્ સમભાવમાં સ્થિર રહે.