Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧:વિનયક્ષત
પ્રથમ અધ્યયન
)
)
)
)
)
)
)
)
પરિચય :
પ્રસ્તુત પ્રથમ અધ્યયનનું નામ 'વિનયશ્રુત' છે. નિર્યુક્તિ અને બૃહદ્ઘત્તિમાં તેનું નામ વિનયશ્રુત છે. જ્યારે ચૂર્ણિમાં તેનું નામ વિનય સૂત્ર છે. 'સૂત્ર' અને 'ઋત', એ બંને પર્યાય શબ્દો છે.
વિનય એ આચારનો કે શ્રમણાચારનો પાયો છે અને મુક્તિનું પ્રથમ ચરણ છે, તે ધર્મનું મૂળ અને આત્યંતર તપ છે. વિનયરૂપી મૂળ વિના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રરૂપી પુષ્પ પ્રાપ્ત થતાં નથી, તો મોક્ષરૂપી ફળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
મૂલાચાર અનુસાર વિનયની પૃષ્ઠભૂમિમાં આ ગુણો રહેલા છે– (૧) શુદ્ધ ધર્માચરણ (૨) જીવકલ્પ મર્યાદા (૩) આત્મગુણોનું ઉદ્દીપન (૪) આત્મિક શુદ્ધિ (૫) નિર્લૅન્દ્રતા (૬) ઋજુતા- સરલતા (૭) મૃદુતા –નમ્રતા, નિરહંકારિતા (૮) લાઘવ–અનાસક્તિ (૯) ગુરુ ભક્તિ (૧૦) આલ્હાદકતા (૧૧) કૃતિ (વંદનીય પુરુષો પ્રતિ વંદના) (૧૨) મૈત્રી (૧૩) અભિમાનનું નિરાકરણ ૧૪) તીર્થકરોની આજ્ઞાનું પાલન અને (૧૫) ગુણોનું અનુમોદન.
જો કે પ્રસ્તુત અધ્યયનમાં વિનય શબ્દની પરિભાષા આપવામાં આવી નથી, પરંતુ વિનયી અને અવિનયીના સ્વભાવ અને વ્યવહાર તથા તેનાં પરિણામોની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે, તેના ઉપરથી વિનય અને અવિનયની પરિભાષા સ્પષ્ટ થઈ જાય છે. વ્યક્તિનો બાહ્ય વ્યવહાર અને તેનું આચરણ જ તેના અંતરંગ ભાવોનું પ્રતિબિંબ હોય છે. પ્રસ્તુત અધ્યયનમાં વર્ણિત વિનીત શિષ્યના વિવિધ વ્યવહાર તેમજ આચરણ પરથી વિનયનો અર્થ આ પ્રમાણે ફલિત થાય છે– (૧) ગુરુની આજ્ઞાનું પાલન (૨) ગુરુની સેવા શુશ્રુષા (૩) ઈગિતાકાર સંપન્નતા (શરીર અને મનના હાવભાવની સમજણ) (૪) સુશીલ-સદાચાર સંપન્નતા (૫) અનુશાસનશીલતા (૬) માનસિક, વાચિક, કાયિક નમ્રતા (૭) આત્મદમન (૮) અનાશાતના (૯) ગુરુ પ્રત્યે અનુકૂળ વ્યવહાર (૧૦) ગુરુજનોની કઠોર શિક્ષાનો સહર્ષ સ્વીકાર (૧૧) યથાકાળચર્યા, આહારગ્રહણ અને આહારસેવન વિવેક, ભાષાવિવેક આદિ સાધુ સમાચારીનું પાલન.
અહીં વિનયનો અર્થ દાસતા, દીનતા કે ગુરુની ગુલામી નથી, પોતાનો સ્વાર્થ સાધવા કરેલી કોઈ કપટ યુક્તિ નથી, તે શિષ્ટાચાર પણ નથી, તે કેવળ એક સામાજિક વ્યવસ્થા પણ નથી, પરંતુ ગુણીજનો અને ગુરુજનોના મહાન મોક્ષ સાધક પવિત્ર ગુણો પ્રત્યે સહજ એવો આદરભાવ છે અને તેથી ગુરુ અને શિષ્યની વચ્ચે આત્મીયતાનો ભાવ બની રહે છે અને તે કારણે જ ગુરુ પ્રસન્નભાવે પોતાની શ્રુતસંપદા