Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨:પરીષહ
[ ૩૫ |
શબ્દાર્થ :- વિરાછા-પરિમાણ રેભૂખથી શરીર પીડાવા છતાં પણ, થાનવ-સંયમબળવાળા, ધર્યયુક્ત, બળશાળી, તવસી-તપસ્વી,fમનહૂસાધુ, " fજી-ફળ વગેરે સ્વયંનસુધારે, ન fછાવણ = બીજા પાસે ન સુધારાવે, પ પ = સ્વયં ન પકાવે, ન રાંધે, ઇ પયાવ= બીજા પાસે ન રંધાવે. ભાવાર્થ :- શરીર ભૂખથી પીડિત થઈ જાય, તો પણ સામર્થ્ય સંપન (સ્થિર પરિણામી) તપસ્વી ભિક્ષુ કોઈ ફળ આદિને પોતે તોડે કે સુધારે નહિ કે બીજા પાસે તોડાવે કે સુધારાવે નહિ, પોતે ભોજન રાંધે નહિ, બીજા પાસે રંધાવે નહિ. રૂ. વાલી--સંશાસે, વિરે ધમાસણા
मायण्णे असण-पाणस्स, अदीण मणसो चरे ॥३॥ શબ્દાર્થ - વાર પધ્વજ સંવારે -કાગડાની જાંઘ જેવું અથવા કાલી પર્વક ઘાસની જેમ, શરીર દુર્બળ થઈ જાય, વ સંત - નસો દેખાવા લાગે, જિસે - શરીર દુબળુ પાતળું થઈ જાય, તો પણ, અલખ પાસ - શુદ્ધ આહાર પાણીની, નાયણે - મર્યાદાને જાણનારો સાધુ, અલીખ મણ - મનમાં દીનતાનો ભાવ લાવ્યા વિના, રે - સંયમમાર્ગમાં વિચરે, સંયમભાવમાં રહે. ભાવાર્થ :- ઘણા સમયથી ભૂખ સહન કરવાથી કાલીપર્વક નામના ઘાસની જેમ અથવા કાગડાની જાંઘની જેમ શરીર સૂકાઈને દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, નાડીઓ દેખાવા લાગે તો પણ આહારપાણીની મર્યાદાને જાણનાર ભિક્ષુ દીન બન્યા વિના પ્રસન્ન ચિત્તે સંયમમાર્ગમાં વિચરણ કરે. વિવેચન :
બાવીસ પરીષહમાં પહેલો સુધા પરીષહ છે, કારણ કે ચૂર્ણિકારે કહ્યું છે કે 'સુધારના નાસિત શરીર વેલનાં ભૂખ જેવી બીજી કોઈ શારીરિક વેદના નથી, તેથી સુધાને પહેલાં કહી છે. શ્રુધાની ગમે તેટલી વેદના થતી હોય, તો પણ તેને સહન કરનાર સંયમી સાધુએ જાતે કે અન્ય દ્વારા આહાર પકાવવો, ફલાદિનું છેદન કરવું નહીં તથા તેને ખરીદવું નહીં. પોતે સ્વીકારેલી મર્યાદાથી વિપરીત અનેષણીય, અકલ્પનીય આહાર લેવો નહિ. ક્ષુધા વેદનાને સમભાવપૂર્વક સહન કરવી, તે જ ક્ષુધા પરીષહનો વિજય છે. ક્ષુધા પરીષહ વિજયી સાધક નવકોટિ વિશુદ્ધ ભિક્ષા મર્યાદાનું ઉલ્લંઘન કયારે ય કરતા નથી.
લી-પબ્લા-સંવાલે - કાગડાની જંઘા- કાગડાના પગનો ઉપરનો ભાગ. તેના જેવા પાતળા. બૃહદ્રવૃત્તિ અનુસાર કાકજંઘા નામના તૃણનું પર્વ સ્થૂલ અને વચ્ચેના ભાગમાં પાતળું હોય છે. એ જ રીતે જે સાધકના ગોઠણ, કોણી વગેરે સ્થૂલ હોય અને હાથ પગ પાતળા થઈ ગયા હોય તેને જાપવિશાશન (ાનીપāારંવા) કહેવામાં આવે છે. ભૂખ પરિષહથી અથવા તપથી કાયા સુકાઈને પાતળી થઈ જાય, તો પણ સાધક દીન ન બને. જળસંતપ:- નસોથી ઘેરાયેલા શરીરવાળો અર્થાત્ ઉત્કટ તપને કારણે શરીરમાં લોહી અને માંસ