________________
૪) ક્રૂરતાના પાપો (Cruelty)
સવારના ચા-પાણી કે રસોઇ કરવા જે પાપો કરવા પડે તે અનિવાર્ય છે ફરજીયાત છે. પણ પગના નીચે કીડી મરે છે તે ઉપયોગની ખામી છે. બેદરકારી છે. ગ્લાસ ન લૂછવાથી અસંખ્ય જીવોની હિંસા/ એઠા વાસણોથી હિંસા ! એક મુનિરાજના માતુશ્રી બે ઘડી પહેલા બધા વાસણો પણ કોરા કરી લે. ઘરમાં A.C. કે પંખા જરૂરી નથી. બીન જરૂરી પાપો છે.
કાયદેસર ગર્ભપાત જેવું કૃત્ય આચરી હજારો નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યામાં અરેરાટી થતી નથી. જેના જીવનમાં સાધ્ય તરીકે પૈસા ગોઠવાઇ જાય છે તેના જીવનમાં ક્યા ક્યા પાપો ન પ્રવેશે એ એક સવાલ છે ? ક્રૂરતાથી જીવોને મારવાની, હેરાન ક૨વાની, રીબાવાની પ્રવૃત્તિઓ ન જોઇતી હોય તો ઉ૫૨ જણાવ્યા પ્રમાણે ત્રણ નંબરની હિંસામાં બ્રેક લગાવો. જીવોનું જ્ઞાન હોય તો જ દયા આવે છે. એઠાં ભોજનમાં પણ જીવો છે એવું જ્ઞાન જોઇએ. જ્ઞાન હોય પણ સાથે શ્રધ્ધા પણ જોઇએ. ક્યાં જીવો દેખાય છે ? આવી અશ્રધ્ધા ન જોઇએ. માટે જ્ઞાન, શ્રધ્ધા સંયમ અને યતના જોઇએ. કાળજી રાખો કે મચ્છર, ઉધઇ, કીડી, વિગેરે ન જ થાય.
કરુણા નામની નદીના કિનારે સામાયિક પૂજા, વિગેરેના છોડ ઉગે છે.
સાધુને ત્રસ સ્થાવર કારણ નિષ્કારણ પણ હિંસા નથી. સાધુની ૧૦૦% ની અને શ્રાવકને 12% ની દયા હોય. સાધુને ત્રસ, સ્થાવર (પૃથ્વી અપ, તેઉ, વાયુ વન્સપતિકાય) ની પણ હિંસા ન કરવી શ્રાવકને રસોઇ આદિ વિગેરે કરવી પડે માટે આ પાંચની હિંસા કરવી પડે પણ કીડી કબૂતર વિગેરેની હિંસાની જરૂર નથી.
. વર્ષો પહેલા એક ભાઇ રુંવાટીવાળા પર્સ, ચપ્પલ, બટવા આદિનો વેપાર કરતા તેમજ તે વસ્તુઓની નિકાસ પણ કરતા. લાખોની કમાણી કરના૨ એ વેપારીને એ એકવાર એ રુંવાટીવાળા પ્રાણીઓને ત્રાસ ગુજારી મારવાની પ્રક્રિયા નજરે જોતા ત્રાસ છૂટી ગયો. આટલી ક્રૂરતા પછી જ ધન મળે છે ? ખલાસ.. જીવનભર માટે એ ધંધોને સલામી આપી દીધી. એટલું જ નહિ પણ એ ધનને જીવદયાની પ્રવૃત્તિમાં વાપરવાનો નિર્ણય લઇ લીધો !
વઢવાણના રતીલાલભાઈ શ્રાવકની વાત જાણીતી છે નકામા ઘોડાઓને સૂટ કરી નાંખવાની અંગ્રેજ સરકારની નીતિ સામે વચ્ચે કૂદીને પણ તેમને અભય અપાવ્યું.
૩ ૨૯
RULE