Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 189
________________ 0 C દેરાસરમાં ઘરની-વ્યાપારની વાત કરી. • દેરાસરમાં અંતરાયવાળા થયા. તીર્થભૂમિમાં ડુંગર ઉપર આહાર-વિહાર કર્યો, અંતરાયવાળા થયા. સાધુ-સાધ્વી પાસે પોતાનું કામ કરાવ્યું. • ગુર્નાદિકને પગ લગાડ્યો. તેમના આસન વગેરેને પગ લગાડ્યો. ગુર્નાદિકની સાથે અયોગ્ય રીતે બોલ્યા. સ્થાપનાજીને પડી ગયા. પડિલેહણ ન કર્યું. સ્થાપનાજીને પગ લાગ્યો. દેવ-દેવીની માનતા કરી. નદી-કુંડાદિમાં સ્નાન કર્યું. હોળી વગેરે લૌકિક પર્વો માન્યાં-ઊજવ્યાં. પ્રયોજન વિના સાધુ-સાધ્વીને અશુદ્ધ આહાર વહોરાવ્યો. પ્રથમ અણુવ્રતસંબંધી અનંતકાય-એકેન્દ્રિય-વિકેન્દ્રિય પંચેન્દ્રિય જીવોની હત્યા કરી-થઇ. તેનો સ્પર્શ કર્યો, તેને પડ્યા. અણગળ પાણી વાપર્યું. ખારું-મીઠું, કાચું-પાકું, ગરમ-ઠંડું પાણી ભેગું કર્યું. છાણાં-કોલસા-લાકડાં વગેરેના પૂંજ્યા વિના ઉપયોગ કર્યો. જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો. માખી-મચ્છર-કીડી આદિની વિરાધના કરી. ખેતી કરી-કરાવી. જીવથી યુક્ત ખાટલા-ગાદી-ગોદડાં વગેરે તડકે નાખ્યાં. • ગર્ભપાત કર્યો-કરાવ્યો. પંખીઓના માળા-દાળા પાડ્યા. તેની જયણા ન કરી. પર્વતિથિએ કપડાં ધોયાં વગેરે આરંભ-સમારંભના કાર્યો કર્યા. સડેલાં ધાન્ય તડકે રાખ્યાં. ખાંડ્યાં-પીસ્યાં. ઉકરડા બાળ્યા. • ઘંટી-સાંબેલા-ચુલા આદિ સાધનોનો જયણા વિના ઉપયોગ કર્યો. • ઘાસ પર બેઠા.

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198