________________
|
D
0 અસત્યના સંસ્કારો પડે છે. 0 અન્યનો અવિશ્વાસ ઉભો થાય છે.
જિનાજ્ઞાનો લોપ કરાય છે. 0 લોકમાં અપયશ મળે છે. 0 પરલોકમાં દુઃખોને નોંતરે છે. 1 અશુભ કર્મનો બંધ કરે છે.
જીવનમાં અશાંતિ સાથે આરોગ્યની હાનિ થાય છે. || આત્મ વિકાસમાં રૂકાવટો ઉભી થાય છે. માટે આવી ચોરીના સંસ્કારોથી છ ગાઉ છેટા રહેજો.
D
D
D
કેટલાક પ્રશ્નોત્તર
હે પ્રભુ ! પોતાનું અચૌર્ય સ્વરૂપ ભૂલી મારા આત્માએ જીવ અદd, સ્વામી, ગુરુ, તીર્થંકર અદત્ત આચરી પર યુગલને ગ્રહણ કરવાની વ્યર્થ ઇચછાઓ દ્વારા ગાઢા કર્મોના બંધનથી બંધાયો છે. હવે શીધ્રાતિશીવ્ર
અહg વિરમણ થાઓ. પ્ર. ૧ અદત્તદાન કોને કહે છે ? ઉત્તર માલિકની આજ્ઞા ન હોવા છતાં આપ્યા વિના વસ્તુ લેવી તે. પ્ર. ૨ અદત્ત કેટલા પ્રકારનું છે ? ઉત્તર ચાર. ૧) સ્વામી, ૨) જીવ, ૩) ગુરુ, ૪) તીર્થકર અદત્ત છે. પ્ર. ૩ શ્રાવકને કેટલી ચોરી છોડવાનું કહ્યું છે? ઉત્તર ચાર પ્રકારની ચોરી છોડવાનું કહ્યું છે. ૧) ખાતર ખોદીને, ૨) ગાંઠ ખોલીને, ૩) તાળા ઉપર ફેંચી લગાડીને, ૪) કોઇની વસ્તુ પડી છે એમ જાણીને છતાં લેવી ઇત્યાદિ. પ્ર. ૪ શ્રાવકને કેટલી ચોરીનો આગાર છે ? કઇ કઇ ? ઉત્તર શ્રાવકને ત્રણ ચોરીનો આગાર છે. ૧) સગાસંબંધી, ૨) વ્યાપાર સંબંધી, ૩) પડેલી તુચ્છ વસ્તુનો. પ્ર. ૫ અદત્તાદાનના અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર અદત્તાદાનના અતિચાર પાંચ છે.