Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 164
________________ દેશાવગાસિક કરીએ • વધારે પડતા સ્થાનોના આવાગમનનું આવ્રત છે. જગતના જીવોને જે ભય આપે છે તેને ડગલે પગલે ભવોની ભેટ મળતી જાય છે. કેટલાકના જીવનમાં વર્ષો ઉમેરાય છે. જ્યારે કેટલાકના વર્ષોમાં જીવન ઉમેરાય • જેના જીવનમાં વરસ ઉમેરાય છે એના મરણ થાય છે. જેના વરસમાં જીવન ઉમેરાય છે એની મુક્તિ થાય છે. • ધર્મી માણસ કઠણ બને છે પણ ભૂલેચૂકેય કઠોર બનતો નથી. • ત્રણ પ્રકારના જીવો છે. ઘાસના તણખલા જેવા, વૃક્ષ જેવા, પહાડ જેવા. એક મરણની આગળ અડધો “સ મૂકવા માટે આખી જિંદગી સાચી મહેનત કરવી પડે છે. મરણ/સ્મરણ. • અગ્નિસંસ્કાર થાય છે ત્યારે તમારું મરણ નથી પણ જે ક્ષણે બીજાના હૃદયમાં તિરસ્કારનો ભાવ પેદા થયો તે ક્ષણથી જ ભાવમરણ ચાલુ થઇ જાય છે... દશમાં નંબરનું વ્રત છે ‘દેસાવગાસિક વત’ આખા દિવસમાં ઓછામાં ઓછા એકાશન સાથે બે પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરવાં ટૂંકમાં, આ વ્રતનો આશય એ છે કે શક્ય એટલો સંસારવ્યવહાર બંધ કરવો.. પેલા ચંદ્રાવતંસક રાજાએ એક રાતે દીવાની જ્યોત જ્યાં સુધી જલતી હોય ત્યાં સુધી કાઉસ્સગ્નમાં રહેવું' એવા અભિગ્રહ સાથે કાઉસગ્ગ ચાલુ કર્યો. દીવામાં તેલ પુરું થવા આવ્યું પરંતુ તે જગ્યાએથી પસાર થતા દાસીઓ જોયું કે રાજાજી ધ્યાનમાં છે અને દિવો તો બુઝાવાની તૈયારીમાં છે. તો લાવ એમાં તેલ પૂરી દઉં !. આમ વિચાર કરી દાસીએ દીવામાં તેલ ખૂટતાં નવું તેલ પૂર્યું. રાજા મહાસત્ત્વશાળી છે.. જરાય આડોઅવળો વિચાર નથી. ખૂબ પ્રસન્નચિત્તે કાઉસગ્ગ ચાલુ રાખ્યો છે. આમ રાજાની નસેનસ તણાવા લાગી.. પડ્યા જમીન પર. પ્રાણપંખેરુ ઉડી ગયું... પરંતુ છેવટ સુધી ટકાવી રાખેલા આ સત્ત્વના પ્રભાવે કાળ કરીને દેવલોકમાં ગયા.. સાધનાનું જીવન એ તો કસોટીનું જીવન છે. તેમાં જે ટકી ગયો તે જીવન જીતી ગયો. તેમાં જે ડગી ગયો તે જીવન હારી ગયો. ઝાંઝરીયા ઋષિ મેતારજ ત્રષિ...

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198