Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 162
________________ સામાયિક. પ્ર. ૧૫. બંને સામાયિકમાં શું ફેરફાર છે ? ઉત્તર યાવતુકથિત સામાયિક: બે કરણ અને ત્રણ યોગથી તે સામાયિક ૪૮ મિનિટની હોય છે. શ્રાવકની સામાયિક યાવત્ કથિત હોય છે. યાવત્નો અર્થ પર્યત. યાવજીવનની સામાયિકઃ ત્રણ કરણ અને ત્રણ યોગ મળી કુલ નવ કોટીથી કરવામાં આવતી આ સામાયિક જીવન પર્વતની હોય છે. આ સામાયિક સાધુ સાધ્વીને હોય છે. પ્ર. ૧૬. સામાયિક કઇ જાતિના જીવો કરી શકે છે ? ઉત્તર પંચેન્દ્રિય જાતિના જીવો કરી શકે છે. પ્ર. ૧૭. સામાયિકમાં ગરમ પાણી પીવાય ? ઉત્તર ના ! શ્રાવકની સામાયિકમાં ન પીવાય. પ્ર. ૧૮. સામાયિકમાં બહાર જતાં કયો શબ્દ બોલાય છે ? ઉત્તર “આવસ્યહી' ત્રણ વાર બોલાય છે. પ્ર. ૧૯ ઉપાશ્રયમાં દાખલ થતાં ક્યો શબ્દ બોલાય ? ઉત્તર નિસ્ટિહી. પ્ર. ૨૦ સામાયિક ક્યારે થઇ શકે છે ? ઉત્તર દિવસે રાત્રે ગમે ત્યારે થઇ શકે છે. પ્ર. ૨૧ શુદ્ધ સામાયિક કોણે કરી ? તે સામાયિક કોણે વખાણી ? ઉત્તર પુણિયા શ્રાવકે. તે સામાયિકની પ્રશંસા પ્રભુ મહાવીરે કરી હતી. પ્ર. ૨૨ સામાયિકનાં અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર સામાયિકના પાંચ અતિચાર છે. ૧) મણ દુપ્પણિહાણે, ૨) વય દુપ્પણિહાણે, ૩) કાયદુપ્પણિહાણે, ૪) સામાઈયસ્સઇ અકરણયાએ, ૫) સામાઈયસ્સ અણવુક્રિયસ્સ કરણયાએ. પ્ર. ૨૩ સામાયિકમાં મન આડુઅવડુ કર્યું હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર મણ દુપ્પણિહાણેનો અતિચાર લાગે.

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198