Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 161
________________ ૩૮. ૭ સામાયિક કેટલા કરણ અને કેટલા યોગથી થાય છે ? ઉત્તર સામાયિક બે કરણ અને ત્રણ યોગથી થાય છે. બે કરણ કરું નહિ અને કરાવવું નહિ. ત્રણ યોગ મનયોગ, વચનયોગ, કાયયોગ. પ્ર. ૮ સામાયિક માટે જરૂરી ઉપકરણ કયા છે? ઉત્તર મુહપત્તિી, ચરવલો, માળા, સ્થાપનાચાર્ય ધાર્મિક પુસ્તક કટાસલું ધોતી, ખેસ આદિ સામાયિક માટે જરૂરી સાધન છે. પ્ર. ૯. સામાયિકની કિંમત કરી શકાય ખરી ? ઉત્તર લાખ ખાંડી સોના તણું લાખ વર્ષ દે દાન, તોય સામાયિક તુલ્ય ના ભાખે શ્રી ભગવાન. લાખ ખાંડી સોનાનું પ્રતિદિન દાન કરે તો પણ તેનું પુણ્ય એક શુદ્ધ સામાયિક જેટલું પણ ન થઇ શકે. દાનથી પુણ્ય મળે છે. પરંતુ સામાયિકથી કર્મ નિર્જરા થાય છે. પ્ર. ૧૦. સામાયિકમાં શું કરવું જોઇએ? ઉત્તર સ્વાધ્યાય, ધ્યાન, જિનવાણી શ્રવણ, કે ધાર્મિક પુસ્તક વાંચન, ભજન, સ્તવન, જ્ઞાનચર્ચા, સાંભળવી. પ્ર. ૧૧. સામાયિકમાં શું ન કરવું જોઇએ ? ઉત્તર બત્રીસ દોષોનું સેવન, ચાર વિકથા, ચાર સંજ્ઞા તથા પાંચ અતિચારનું સેવન ન કરવું જોઈએ. પ્ર. ૧૨ સામાયિકનો સમય કેટલો છે ? ઉત્તર સામાયિકનો સમય ૪૮ મિનિટનો છે. કારણ કે છમસ્થના મનની એકાગ્રતા વધુમાં વધુ ૪૮ મિનિટ સુધી જ રહે છે. પ્ર. ૧૩ સામાયિકમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? ઉત્તર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું ધ્યાન રાખવું જોઇએ. દ્રવ્યઃ સામાયિક ઉપકરણ, ક્ષેત્ર: નિરવદ્ય સ્થાન, કાળઃ ૪૮ મિનિટ સુધી, ભાવ વિચારોની શુદ્ધિ, સમભાવ રાખવો. પ્ર. ૧૪. સામાયિક કેટલા પ્રકારની છે? ઉત્તર સામાયિક બે પ્રકારની છે. ૧) યાવસ્કથિત સામાયિક અને ૨) માવજીવનની વધ

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198