________________
પ્ર.૨૪ સામાયિકમાં વચન જેમ તેમ બોલ્યા હોય એટલે કે સાસુ વહુની નિંદા કરે તો
કયો અતિચાર લાગે ? ઉત્તર વય દુપ્પણિહાણોના અતિચાર લાગે. પ્ર. ૨૫ સામાયિકમાં કાયા ને જેમ તેમ કરી હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર કાયદુપ્પણિહાણનો અતિચાર લાગે. પ્ર. ૨૬ સામાયિક જેમ તેમ કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર સામાઈયસ્સ સઇ અકરણયાનો અતિચાર લાગે. પ્ર. ૨૭ રામાયિક સમય પૂર્ણ થયા પહેલાં પાળી લે તો કયો અતિચાર લાગે? ઉત્તર સામાઈયસ્સ અણવુદ્ધિયસ્સ કરણયાનો અતિચાર લાગે. પ્ર. ૨૮ એક સામાયિક કરવાથી દેવનું કેટલું આયુષ્ય બંધાય ? ઉત્તર ૯૨, ૫૯, ૨૫, ૯૨૫ પલ્યોપમ દેવનું આયુષ્ય બંધાય.