SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ દેશાવગાસિક કરીએ • વધારે પડતા સ્થાનોના આવાગમનનું આવ્રત છે. જગતના જીવોને જે ભય આપે છે તેને ડગલે પગલે ભવોની ભેટ મળતી જાય છે. કેટલાકના જીવનમાં વર્ષો ઉમેરાય છે. જ્યારે કેટલાકના વર્ષોમાં જીવન ઉમેરાય • જેના જીવનમાં વરસ ઉમેરાય છે એના મરણ થાય છે. જેના વરસમાં જીવન ઉમેરાય છે એની મુક્તિ થાય છે. • ધર્મી માણસ કઠણ બને છે પણ ભૂલેચૂકેય કઠોર બનતો નથી. • ત્રણ પ્રકારના જીવો છે. ઘાસના તણખલા જેવા, વૃક્ષ જેવા, પહાડ જેવા. એક મરણની આગળ અડધો “સ મૂકવા માટે આખી જિંદગી સાચી મહેનત કરવી પડે છે. મરણ/સ્મરણ. • અગ્નિસંસ્કાર થાય છે ત્યારે તમારું મરણ નથી પણ જે ક્ષણે બીજાના હૃદયમાં તિરસ્કારનો ભાવ પેદા થયો તે ક્ષણથી જ ભાવમરણ ચાલુ થઇ જાય છે... દશમાં નંબરનું વ્રત છે ‘દેસાવગાસિક વત’ આખા દિવસમાં ઓછામાં ઓછા એકાશન સાથે બે પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરવાં ટૂંકમાં, આ વ્રતનો આશય એ છે કે શક્ય એટલો સંસારવ્યવહાર બંધ કરવો.. પેલા ચંદ્રાવતંસક રાજાએ એક રાતે દીવાની જ્યોત જ્યાં સુધી જલતી હોય ત્યાં સુધી કાઉસ્સગ્નમાં રહેવું' એવા અભિગ્રહ સાથે કાઉસગ્ગ ચાલુ કર્યો. દીવામાં તેલ પુરું થવા આવ્યું પરંતુ તે જગ્યાએથી પસાર થતા દાસીઓ જોયું કે રાજાજી ધ્યાનમાં છે અને દિવો તો બુઝાવાની તૈયારીમાં છે. તો લાવ એમાં તેલ પૂરી દઉં !. આમ વિચાર કરી દાસીએ દીવામાં તેલ ખૂટતાં નવું તેલ પૂર્યું. રાજા મહાસત્ત્વશાળી છે.. જરાય આડોઅવળો વિચાર નથી. ખૂબ પ્રસન્નચિત્તે કાઉસગ્ગ ચાલુ રાખ્યો છે. આમ રાજાની નસેનસ તણાવા લાગી.. પડ્યા જમીન પર. પ્રાણપંખેરુ ઉડી ગયું... પરંતુ છેવટ સુધી ટકાવી રાખેલા આ સત્ત્વના પ્રભાવે કાળ કરીને દેવલોકમાં ગયા.. સાધનાનું જીવન એ તો કસોટીનું જીવન છે. તેમાં જે ટકી ગયો તે જીવન જીતી ગયો. તેમાં જે ડગી ગયો તે જીવન હારી ગયો. ઝાંઝરીયા ઋષિ મેતારજ ત્રષિ...
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy