________________
સુકોશલ મુનિ. સનકુમાર રાજર્ષિ ગજસુકુમાળ મુનિ.કામદેવ શ્રાવક વગેરેના પરિષદ અને ઉપસર્ગોના વાવંટોળ વચ્ચે પણ અડગ રહ્યાના ખુમારી ભય આલંબનો આપણી નજર સામે છે... તો આપણે પણ જખુમારી સાથે સાધનાના માર્ગે પ્રયાણ કરીએ.... પછી સિદ્ધિ તો હાથવેંતમાં છે !
મોક્ષના લક્ષ્ય સાથે જેની પાસે જબરદસ્ત સત્ત્વ છે તેને માટે ધર્મની, આરાધના ખૂબ જ સુગમ છે. બાકી, જેઓ સત્વહીન છે તેઓ આ માર્ગે પગ પણ નથી મૂકી શકતા.... કદાચ મૂકી દે તો આગળ ચાલી નથી શકતા. ત્યારે તો પેલા કવિએ ગાયું છે ને
હોય છે નિ:સત્વ ખુદ એ બીજ કે ફળતા નથી, ઝાંઝવા દેખાય છે કિન્તુ પીવા મળતા નથી, અન્યના આધાર પર રહેનાર કાં સમજે નહિ,
અંધના અંધકાર દીપકથી કદી ટળતા નથી, પેલા વિક્રમરાજાની કથામાં આવે છે ને કે રાજા વિક્રમ રાતના સૂતો છે. ત્યાં કોઇ તેની ચાદર ખેંચે છે... જાગીને જુએ છે તે સામે સરસ્વતી દેવી ઉભી છે. તેણી રાજાને કહે છે કે હવે મારે અહીંયા નથી રહેવું. હું જાઉં છું!...
વિક્રમ કહે “ખુશીથી પધારો!. ત્યાં તરત જ લક્ષ્મીદેવી આવ્યા..ય જાઉં છું આ સ્થાનમાંથી..”
ભલે ખુશીથી જાઓ..” લક્ષ્મી જતાં જ સત્ત્વપુરુષ આવ્યો. તેણે વિક્રમને કહ્યું કે, તો હું જાઉં છું અહીંથી !' '
| વિક્રમે તરત જ તલવાર કાઢી,“ખબરદાર ! અહીંથી તું ગયો છે તો !. લક્ષ્મી અને સરસ્વતી વિના ચલાવી લઇશ પરંતુ તારા વિના મારે એક મિનિટ પણ નહિ ચાલે ! એટલે તને તો અહીંથી નહિ જ જવા દઉં...” સત્પુરુષ ત્યાં રહી ગયો...એટલે તુર્ત જ સરસ્વતી અને લક્ષ્મી પાછા આવ્યા.“સત્ત્વપુરુષ જ્યાં રહે છે ત્યાં રહેવામાં જ અમારુ ગૌરવ છે. એટલે અમે તેને છોડીને ક્યાંય જવાના નથી..”
ટૂંકમાં, આ કથાનો ઉપનય એ છે કે સાધનાના માર્ગે સત્ત્વ ટકાવી રાખશો તો બાકીનું બધું તેની મેળે ચાલ્યું આવશે. અને જો સત્વ ગુમાવી દેશો તો રહીસહી મૂડી પણ નષ્ટ થઈ જશે !
વીતરાગ પરમાત્માએ અર્થથી વિસ્તૃત દેશના સમવસરણમાં બિરાજી આપી. તે દેશનાને ગણધરો, આદિએ શ્રવણ કરી સ્મરણ રહે તે માટે ‘સૂત્ર'માં લખી. એ સૂત્રોનો