________________
સંગ્રહ એટલે આગમ.
આગમની વાતો સર્વગ્રાહ્ય થાય. સૌ સમજે તેથી તેના ઉપર ટીકા અવસૂરી, ચૂર્ણિ વિગેરે લખાયા. કહેવાનું તાત્પર્ય એજ કે સૂત્રના ગંભીર અર્થો ઉપર ફરી મહાપુરૂષોએ ‘પંચાગિ’ રચી. બરાબર એજ રીતે શ્રાવકે જીવનમાં જે કંઇ નાના મોટાં વ્રતો, પચ્ચક્ખાણો, નિયમો, બાધાઓ કે ત્યાગ કર્યો હોય. તે ત્યાગ નિયમમાં એક દિવસ કે અમુક સમય સુધી સંક્ષેપના, વધારાના ત્યજી દેવાનું જેમાં માર્ગદર્શન છે તે દેશાવગાસિક,
પરિગ્રહ, આસક્તિ, જરૂરીઆતને ઘટાડવા ‘મને જરૂર નથી’ એ ભાવે ભૂતકાળમાં જે નિયમો લીધા આરંભ સમારંભ ત્યજ્યા, મનને વશ કર્યું. હવે એમાંથી પણ અલ્પકાળ માટે ત્યજ્ઞાના ભાવના કરવી. વ્રત નિયમ લેવા તે દેશાવગાસિક,
વ્યવહારમાં જેમ બે ઘડીનું સામાયિક અથવા નાના મોટાં ચોવિહારાદિ પચ્ચકખાણ થાય છે. તેમ ચાલુ આવતાં નિયમોની ઉપર વધુ સંક્ષેપ ક૨વા માટેની ભાવના આવકા૨ણીય છે. આની પાછળ વર્તમાનકાળમાં જીવની ભાવના ત્યાગ માટે સુધારવાની ધર્મબુદ્ધિ વધારવાની દ્રષ્ટિ છે. જેમ રાઇ પ્રતિક્રમણમાં આરાધક તપચિંતવનના જે કાઉસ્સગ્ગ કરે છે. તેમાં સર્વ પ્રથમ ભાવ નથી શક્તિ નથી. એમ ચિંતવે છે. પછી બીજા વિભાગમાં ભાવ નથી પણ શક્તિ છે. એવું વચન સુધારાશે. અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં ભાવ છે શક્તિ છે ને પચ્ચકખાણ કરૂં છું.' એવી દ્રષ્ટિથી વિરતી ધર્મનો અલ્પકાળ માટે સ્વીકાર કરશે. એજ રીતે લીધેલા વ્રત નિયમોમાં સુધારો કરવાનો છે.
પાંચ અતિચાર :
દેશાવગાસિક વ્રતના સ્વીકાર પછી આત્મા તેનું પાલન શુદ્ધ ભાવે કરવા તૈયાર થાય છતાં તેમાં નીચેના પાંચ અતિચારો ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. (૧) આનયન પ્રયોગ – ધારેલી હદની બહારથી વસ્તુ મંગાવવી. (૨) પ્રેષ્ય પ્રયોગ – ધારેલી હદની બહાર વસ્તુ મોકલવી.
(૩) શબ્દાનુપાત – ધારેલી હદની બહારથી શબ્દ દ્વારા વસ્તુ મંગાવવી.
(૪) રૂપાનુપાત – ધારેલી હદની બહારથી રૂપ દેખાડવા દ્વારા મંગાવવું. (૫) પુદ્ગલ પ્રક્ષેપ - કાંકરાદિ દ્રવ્ય નાખી ધારેલી હદની બહાર રહેલાને પોતે અહિં છે. તે જણાવવું.
દેશાવગાસિક અને તેની વ્યાપકતા :
અગિયાર વ્રતોની અંદ૨ પોત પોતાના ક્ષેત્ર (વિભાગ)માં યોગ્ય પ્રવૃત્તિ કરો તો પુણ્ય અને અયોગ્ય આચરણ કરો તો પાપ બંધાય છે. તેવું સર્વ સામાન્ય દેખાય છે. જૂન ૧૫૯ Ed