________________ પ્ર. 17. કોઇ શ્રાવક પોતાના પુત્ર-પુત્રીનો વિવાહ સંબંધ કરાવે તો શું એનું વ્રત દુષિત થાય છે? ઉત્તર ના ! ગૃહસ્થીને પોતાના પુત્ર-પુત્રીનો વિવાહ સંબંધ કરવો તે તેમનું કર્તવ્ય છે. એટલે સ્વસંતાન માટે વિવાહ સંબંધથી વ્રત દુષિત નથી થતું. પણ પરવિવાકરણનો અતિચાર લાગે છે. પરંતુ બીજાનો વિવાહ સંબંધ કરે તો જરૂર દોષ લાગે છે. પ્ર. 18. નાની ઉંમરની પોતાની સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર ઇત્તરિ પરિગ્દહિયા ગમણનો અતિચાર લાગે. પ્ર. 19 જે સ્ત્રીની સાથે સગાઇ થઇ છે પણ લગ્ન થયા નથી તેની સાથે ગમન કર્યું હેય તો કયો અતિચાર લાગે ? ઉત્તર અપર પરિગ્રહિયાગમાણેનો અતિચાર લાગે. પ્ર. 20. સ્વભાવિક અંગ સિવાય અન્ય અંગ સાથે કામક્રીડા કરી હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર અનંગકીડાનો અતિચાર લાગે. પ્ર. 21. કામભોગને વિષે તીવ્ર અભિલાષા કરી હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર કામભોગસુતિવાભિલાષાનો અતિચાર લાગે. પ્ર. 22. શુદ્ધ અને શિયળ પાળવાથી પરમ કલ્યાણ કોણે કર્યું ? ઉત્તર સુદર્શન શેઠ, સીતા, વિજય શેઠ વિજયા શેઠાણી વગેરે. પ્ર. 23. સૌથી શ્રેષ્ઠ બહાચર્ય કોનું વખાણાયું? ઉત્તર પ્યુલિભદ્રનું. પ્ર. 24. ચોથા વ્રતમાંથી ડગતાને સ્થિર કરનાર કોણ ? ઉત્તર રાજીમતી રહનેમિને સ્થિર કરે છે. પ્ર. 25. કયા વ્રતના પાલનથી શુળીનું સિંહાસન થયું? અને કોનું થયું ? ઉત્તર ચોથા વ્રતનું પાલનથી સુદર્શન શેઠને શૂળીનું સિંહાસન થયું. પ્ર. 26. બહાચર્યને ઉપમા કેટલી આપી છે ? ઉત્તર 32 (બત્રીસ) પ્ર. 27. બ્રહ્મચર્ય સંરક્ષક વાડ કેટલી છે? ઉત્તર 9 (નવ) નવવિહ બંભર્ચર ગુત્તિહિ.