________________
.
જે ધંધામાં કઠોરતા ન હોય તેવો જ ધંધો કરવો. વ્યાજ વટાવવાનો ધંધો કઠોરતા ઉત્પન્ન કરે છે.
પાપના ભવોમાં પાપ સામગ્રી મળી માટે પાપ કર્યા. ધર્મના ભવોમાં ધર્મ સામગ્રી મળી તોય પાપ કર્યા. માણસ મકાન બનાવે ત્યારે એવી રીતે બનાવે જાણે પોતે મરવાનો જ નથી. માણસ જમવા બેસે ત્યારે એવી રીતે ખાય જાણે બીજા ટંકે મળવાનું જ નથી.
जत्थ बहू थाओ, जीवाणं होइ भुज्जमाणंमि । ते वत्युं वज्जेज्जा, अइप्पसंगं च सेसेसु ||
ભાવાર્થ જે વસ્તુ વાપરવામાં ઘણા જીવોને વિનાશ થાય, તે વસ્તુનો ત્યાગ કરે અને બાકીની વસ્તુઓમાં પણ (વા૫૨વાની) અતિશય આસક્તિનો ત્યાગ કરે.
સાતમા નંબરનું વ્રત છે ....ભોગોપભોગવિરમણ વ્રત... એક વાર વાપરવામાં આવે તે ભોગ...અનેક વાર વા૫૨વામાં આવે તે ઉપભોગ...ભોજન, અત્તર વગેરેનો સમાવેશ ભોગમાં થાય, જ્યારે વસ્ત્ર મોટ૨ મકાન વગેરેનો સમાવેશ ઉપભોગમાં થાય..આ ભોગ અને ઉપભોગ એ બન્નેમાં નિયંત્રણ તેનું નામ ભોગોપભોગવિરમણ વ્રત...આ વ્રતમાં ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ૧૫ કર્માદાનના ધંધાનો સર્વથા ત્યાગ કરવા સાથે રોજના વપરાશમાં આવતી ભોગોપભોગની સામગ્રીમાં પરિમાણ નક્કી કરી દેવાની વાત આવે છે..
અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવે પ્રાયઃ કરીને અનંતીવાર પ્રત્યેક સામગ્રીનો ઉપભોગ કર્યો છે...છતાં તેનાથી તૃપ્તિ થઇ નથી...મકાન, મોટર, કંચન, કામિની, ભોજન, વસ્ત્ર વગેરેની પ્રાપ્તિ નવી નથી....તેનો ઉપભોગ પણ નવો નથી..છતાં કોણ જાણે આ જીવ એ સામગ્રીનો ઉપભોગ એવી રીતે કરે છે કે આ બધી સામગ્રીઓ પહેલ વહેલી વા૨ જ તેને પ્રાપ્ત થઇ હોય !
પૂજ્યપાદ જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજ શ્રી સીમંધરસ્વામી ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે...
સાહેબ, ષટ્સ ભોજન બહુ કર્યાં, સાહેબ, તૃપ્તિ ન પામ્યો લગાર, સાહેબ, હું રે અનાદિની ભૂલમાં, સાહેબ, રઝળ્યો ઘણો સંસાર...
એક વાર મળો ને મારા સાહિબા...
૧૧૦] 888888