________________ છું. હું કદી સાકળ ખેંચતો નથી. પહેલા આના કારણે મને રોજ 500 રૂપિયાનો ફાયદો થતો હતો. હવે પૂરા બે હજાર રૂપિયાનો ફાયદો થશે. આથી હું ટૂંક સમયમાં કરોડપતિ બની જઇશ.” આ જ વાત છે. ધન, ધાન્ય, સાધનોની મૂચ્છ, આસક્તિ કે તુણા માનવીને આ રીતે ભટકાવે છે. મનને દોડાવે છે. તેથી કહેવું પડશે કે જે વધુ દોડે છે, તે સુખી નથી. તૃષ્ણાના કારણે વધુ દુઃખી છે. જે ઊભો છે, તે વધુ સુખી છે. જેની પાસે કશું નથી, તેની દયા ખાવા કરતાં જેની પાસે ઘણું હોવા છતાં પણ સંતોષ નથી, તેની દયા ખાવાની વધુ જરૂર છે. મૂર્છા બે પ્રકારની છે. (1) અપ્રાપ્ત વસ્તુનીતૃણા 2) પ્રાપ્ત વસ્તુ પર આસક્તિ. ગૃહસ્થજીવનમાં ઘણું મોટું પાપ પરિગ્રહથી થાય છે. મન પર વ્યક્ત ક્રોધનું પ્રભુત્વ મર્યાદિત સમય માટે જ હોય છે. પરંતુ પરિગ્રહનો સ્પષ્ટ પ્રભાવ 24 કલાક, મહિનાઓ, વરસો અને જિંદગી સુધી રહે છે. બીજું કોઇ પણ આટલો લાંબો સમય ટકતું નથી. વિષયનું સેવન પણ સીમિત છે. શરીર જાય છે, ને મન તૃપ્ત થઇ જાય છે. TV. જોવામાં પણ કાળમર્યાદા છે. વધુ જોયા બાદ શરીર પોતે જ મના કરી દે છે. આહાર પર પણ પુરું નિયંત્રણ, ચારની જગ્યા હોય, તો પાંચ નહિ. ભૂલથી પણ થાળીમાં વધુ લેવાઈ જાય તો બાજુ પર મૂકી દઇશું. બધી ચીજપર મર્યાદાનું લાલ સિગ્નલ હોય છે. હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, વગેરે પાપ મર્યાદિત કાળના છે, પરંતુ પરિગ્રહમાં કોઇ મર્યાદા નહિ. એ અમર્યાદિત છે. વિષયોનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, કે જે થાકી જાય છે. તેથી એકના એક વિષયમાં લાંબો કાળ ટકી શકાતું નથી. પરંતુ પરિગ્રહનો સંબંધ મન સાથે છે. મનની ઇચ્છા, ભૂખ જલ્દી તૃપ્ત થતા નથી. વળી વિષય વાસનાના અતિરેકમાં લોકનિંદાનો ભય રહેલો હોય છે. લોકો કહેવા માંડશે કામી છે, લંપટ છે, વિકારી છે. પરંતુ પરિગ્રહના વિષયમાં આવું નથી. વઘુ પરિશ્રમ કે મહેનત કરનારના લોકો વખાણ કરે છે. શ્રીમંતના વખાણ સન્માન થાય છે. બીજું કારણ એ પણ છે કે મનનો સંબંધ વસ્તુ સાથે નથી, પરંતુ વસ્તુની ઇચ્છા સાથે છે. ઇચ્છા તો આકાશ જેટલી છે. તેથી મન તૃપ્ત થવાનો સંભવ જ 'ક્યાં છે ! માણસ સંપત્તિ પાછળ ક્રમશ ચાર કારણોથી દોડે છે. 1) આવશ્યક સાધનો માટે : જેમ કે રોટી, કપડા, મકાનની પ્રાપ્તિ માટે, આત્રણેની પ્રાપ્તિ બાદ પણ દોડે છે.