________________ ભૂલશો નહિ.સામગ્રીઓ પ્રત્યેની કાતિલ મૂર્છાએ આત્માને માટે દુર્ગતિઓની પરંપરા સર્જી દેનાર ભયંકર પાપ છે...આ દુનિયાના બધા વિગ્રહોનું મૂળ પરિગ્રહ છે.જેના જીવનમાં પરિગ્રહનું પાપ ઘટયું તેના જીવનમાં વિગ્રહો સ્વાભાવિક રીતે જ ઘટી જવાના...! રાજગૃહીનોદ્રમક રોટલાના ટુકડાની મૂછએ સાતમી નરકમાં ગયો તો મમ્મણ શેઠ પણ મળેલી સામગ્રી પ્રત્યેની તીવ્ર આસક્તિથી સાતમી નરકે ગયો... પેલા દરિયાની મુસાફરી કરી રહેલા શેઠને કોઇકે સલાહ આપી.શેઠ ! આગ અને પાણીનો ભરોસો કરવો નહિ..તમે મોટો ભાગે દરિયામાં મુસાફરી કરતા હો છો...ક્યારેક દરિયામાં ભયંકર તોફાન ઉપડે અને વહાણ તૂટે તો તમે શું કરો ? તરતાં તો તમને આવડતું નથી.એમ કરો, અઠવાડિયાની અંદરતરતાં શીખી જાઓ...પછી દરિયાઇ મુસાફરીમાં કોઇ જોખમ નહિ રહે..!” “ભાઇ ! અઠવાડિયું તો શું એક દિવસ પણ મારી પાસે ફાજલ નથી. ધંધું એટલો બધો મોટો છે કે તેમાંથી સમય મેળવવો મારે માટે કઠિન છે...એટલે બીજો કોઇ ઉપાય હોય તો કહો.. “શેઠ ! તો એમ કરો. જ્યારે જ્યારે પણ દરિયાઇ મુસાફરીએ નીકળો ત્યારે ત્યારે વહાણમાં ખાલી પીપ ખાસ રાખજો. કદાચ તોફાનાદિ થાય અને વહાણ તૂટે તો કમ્મરે આ પીપ બાંધી દેજો. પાણીમાં પડવા છતાં તમે અચૂક બચી જશો... ત્યારથી શેઠ વહાણમાં ખાલી પીપ રાખવા લાગ્યા. ચારેક વરસ બાદ એક વાર ભયંકર વાવાઝોડું આવ્યું..વહાણનાં પાટિયે..પાટિયાં જુદાં થઈ ગયાં...જેને જેને તરતાં આવડતું હતું તે બધા ય કુદી પડ્યા....શેઠ પણ ખાલી પીપ બાંધીને કૂદવાનો વિચાર કરવા હતા. પરંતુ તેમના મનમાં થયું કે વહાણમાં પડેલી લખલૂટ કમાણીની આ સોનામહોરો દરિયામાં ફેંકી દેવા કરતાં ખાલી પીપમાં ભરી દઉં તો શું વાંધો? " તુર્ત જ સોનામહોરો ખાલી પીપમાં ભરી દીધી .અને એ ભરેલું પીપ કમરે બાંધીને કૂદી પડ્યા દરિયામાં ! - પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું. છેક તળિએ જઇને શેઠ ગુંગળાઇ ગુંગળાઇને પરલોકભેગા રવાના થઈ ગયા ! સંસારસમુદ્રમાં ખાલી પીપવાળા (મૂછ વિનાના) બચવાના..અને ભરેલા પીપવાળા (મૂર્છાવાળા) બધા ય ડૂબવાના ! “મુચ્છા વુતો પરિગ્રહો' શાસ્ત્રકારો મૂર્છાને પરિગ્રહ કહે છે. આ મૂછવધે છે સામગ્રીઓ વધારવાથી ભૂલશો નહિ.ધન ધાન્ય મકાન મિલકત