________________ છે તૃષ્ણામાં ન થશો લીન , * પુણ્ય ઉપરનો વિશ્વાસ જેટલો ઓછો એટલી સંઘરવાની વૃત્તિ વધુ. લોભવૃત્તિ ભોગવવા માંગતી નથી માત્ર ભેગું કરવામાં માને છે. ભોગમાં મર્યાદા છે પણ લોભમાં કોઇ મર્યાદા નથી. કોઇપણ માણસ કેવો છે એનો નિર્ણય કરવો હોય તો તેને ચિક્કાર પૈસો આપી દો. મૂડીમાંથી 25% ધંધા ખાતે, 25% ધર્મખાતે 25% કુટુંબ ખાતે 25% અનામત ખાતે જ્ઞાની સામગ્રીના માલિક હોય અજ્ઞાની સામગ્રીના ગુલામ હોય જીવનમાંથી તૃષ્ણા ઘટી તે સુખી અઢળક સંપત્તિની પથારી કાયમ મુલાયમ હોય છે.તેમાં સૂઇ જવું સહેલું છે પણ એમાંથી ઉઠવું બહુ મુશ્કેલ છે. સંતોષી નર સદા સુખી સુખી માણસ સદા સંતોષી હોય. રાખ્યું તે રાખ થયું આપ્યું તે આપણું થયું - 'मृच्छा परिग्गहो वृत्तो / इइवृत्तं महेसिणा दशवै अ-६ गा.२१ ભાવાર્થ - પ્રભુ મહાવીરે વસ્તુને નહિ પણ વસ્તુ પ્રત્યેની મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. रवेतं,वत्थुहिरण्णं च, पुत्तदारं च बांधव / चइताणं इमं देहं, गन्तवमव सस्स मे / ભાવાર્થ - ક્ષેત્ર, ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુજંન અને આ શરીરને પણ એક દિવસ પરવશ થઇ છોડી જવાનું છે. શ્રાવકનાં 12 વ્રતમાંના પાંચમા વ્રતનું નામ છે. “સ્યુલપરિગ્રહ પરિમાણ વ્રત.” સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવ પ્રત્યેક ગતિમાં મળેલી સામગ્રી પર મમતા