________________ 1. શુદ્ધ વસતિની જયણા. 2. રાગમય કથા વાર્તાલાપનો ત્યાગ. 3. પૂર્વાનુભૂત સ્મરણનો ત્યાગ. 4. સ્ત્રીના અંગોપાંગાદિનિરખવા નહિ. શરીર શૃંગાર આદિ રાગમયદ્રષ્ટિથી જોવા નહિ. ટાપટીપ જોવી નહિ વિ. 5. પૌષ્ટિક અથવા ઇન્દ્રિયપોષક આહાર કરવા લેવા નહિ. શરીર નભાવવા અલ્પ, નિરસ આહારી થવું. વ્રતપાલન, માટેના આ ભય સ્થાનોમાં મુખ્યત્વે નિવાસ, વચન, ચિંત્વન, નિરીક્ષણ અને આહારની ચર્ચા કરી છે. આત્મા નિમિત્તવાસી છે. જો નિમિત્ત સારા, સાનુકૂળ ન મળે તો સંયમનું શિયળનું શુદ્ધ પાલન કરી શકે નહિં એજ આનો સાર છે. બ્રહ્મચર્ય અને નવવાડો : બ્રહ્મચર્ય શુદ્ધ રીતે પાળવા માટે ખાસ સાધુ અને શ્રાવક માટે નીચે મુજબની નવ વાડો (નિયમો) પણ જ્ઞાની પુરુષોએ બતાડી છે. તેથી જીવનનું પતન થતું અટકે છે. 1) વસતિ - સ્ત્રી, નપુંસક, પશુરહિત સ્થાનમાં રહેવું. 2) કથા - સ્ત્રીઓની સાથે રાગથી એકાંતમાં વાતચીત કરવી નહિં. 3) નિષદ્યા - જે આસન (જગ્યા) ઉપર સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધી પુરુષે પુરુષ બેઠા હોય તો સ્ત્રીએ) બેસવું નહિ. 4) ઇજિય - સ્ત્રીના અંગોપાંગ જોવા કે ચિંતવવા નહિ. 5) કુક્યાંતર - સ્ત્રી પુરુષ સાથે સૂતા હોય, કામક્રિડા કરતા હોય ત્યાં ભીંતના આડે બેસવું (જોવું) નહિ. 6) પૂર્વક્રીડિત - પૂર્વે કરેલી કામક્રિડાનું સ્મરણ કરવું નહિં. 7) પ્રણિત આહાર - સ્નિગ્ધ, રસકસવાળો આહાર (ભોજન) લેવો નહિ. 8) અતિ માત્ર આહાર - સુધા શાંત થાય તેથી વધુ આહાર લેવો નહિં. 9) વિભૂષા - શરીરની શોભા (શૃંગારાદિથી) કરવી નહિ. | પાંચ અતિચાર નવવાડ જેમ બ્રહ્મચર્યના પાલન વખતે નજર સામે જેમ હોવી આવશ્યક છે. તેમ નીચેના પાંચ અતિચારો રહિત પણ વતન સુવિશુદ્ધ રાખવા અત્યંત આવશ્યક છે. 1. અપરિગૃહિતાગમન - વેશ્યા જેવી સ્ત્રીઓ સાથે ગમન કરવું. 2. ઇત્વવ પરિગૃહિતાગમન - થોડા ટાઇમ માટે રાખેલી સ્ત્રી સાથે ગમન.