________________
આ વાસ્તવિક્તાને નજર સામે રાખી જીવન જીવીએ તો આ કાળમાં ય ચોરી કર્યાં વિના સુખ-ચેનથી જીવી શકાય તેમ છે..એવા જીવનના સ્વામી બનવા માટે કમસે કમ કોઇનાં ખીસાં કાપવાં...ગઠડી ઉપાડવી..ધન માલની તફડંચી કરવી...વેચવાના માલમાં ભેળસેળ ક૨વી...રાજદંડ થાય તેવી ટેક્સાદિની ચોરી કરવી...ઉપકારીઓ સાથે પણ ઠગાઇ કરવી..વગેરે રૂપ મોટી ચોરીઓનો તો સર્વથા ત્યાગ જ કરી દેવો...તે માટે વ્યવહાર પ્રમાણિક રાખવો..રસ્તે પડેલી ચીજ સામે નજરેય ન નાખવી...
ન
નહિતર દુનિયાની ચીજો અહિંયા જ રહી જશે...અને તેને આપણી ક૨વા કરેલાં ચોરી વગેરેનાં પાપો પરલોકમાં સાથે આવશે..
બોલ્યો.
પેલા ત્રણ દારૂડિયા રસ્તામાં અરસપરસ વાત કરતા હતા..
‘યાર ! દિલ હોતા હૈ તાજમહાલ ખરીદ લું.’ પહેલો બોલ્યો.
‘તું કિતને ભી રૂપયે દે મગર અભી બેચનેકા મેરા ઇરાદા નહિ હૈ ।' બીજો
‘અરે ! તું ભલે બેચનેકે લિયે તૈયાર હો જાય ઔર વહ લેને કે લિયે ભી તૈયાર હો જાય ! મેં જબ ખાલી કરૂંગા તબ યે હો સકેગા ન ? તાજમહાલ મેં ખાલી કરનેવાલા હી નહિ’ ત્રીજો બોલ્યો.
આ દારૂડિયાઓ જેવી મૂર્ખાઇ જનમોજનમ આપણે કરી છે.... હવે સમજણના ઘરમાં આવીએ....‘સંતોષ' ને કેન્દ્રમાં રાખીને જીવીએ અને ‘ચિત્ત ચોખ્ખું ચોરી નવિ કરીએ' ના મંગળકારી વચનને જીવનમાં અમલી બનાવીએ... તો જ ‘સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત' ના પાલનના આરાધક બની શકશે...
બીજાનું ધન ચોરી આનંદિત થવું. આ ચોરી અનેક પ્રકાર થાય છે. ચોરી, ડાકુગીરી, અનીતિ, વગેરે.
અનીતિ – ભાવ વધુ કહેવો, સારા માલમાં ખરાબ માલ ભેળવવો, માલનું તોલ ઓછું કરવું, ઓછું આપવું તે અનીતિ છે.
આજે આપણી માનસિક પરિસ્થિતિ એવી થઇ ગઇ કે કોઇ ચીજ મફતમાં મળે, વગર મહેનત મળે, કે તરત જ હ૨ખાઇ જઇએ છીએ. અનેકો આનંદ મળે. છે. મફતમાં, વગર પરિશ્રમે કે ઓછી મહેનતે મેળવવાની લાલસાના પરિણામે આપણે માનસિક બીમાર બન્યા છીએ. અનીતિથી મેળવેલા રૂપિયામાં આનંદ મળે છે. આમ લોટરી, રેસ, સત્તા, શેર, જુગારની બોલબાલા વધી છે.
ચારની આજ્ઞા વિના જો કોઇપણ ચીજ લેવામાં આવે છે તે અદત્તાદાન છે.