________________
નાંખજો, અને દાટશો નહીં, ભૂમિ અપવિત્ર બની જશે. અને મારા અનુભવે સૌને વિનંતિ કરું છું કે થોડા લોભમાં ભેળસેળીયા પ્રવૃત્તિથી કદી કોઈના જીવન સાથે ચેડા
કરશો નહીં T ડ્રાઇવરની બાજુમાં બેઠેલા શેઠ આજે જ પરદેશથી આવેલા.મોઢા પર ઉદાસી ભારે...કાર ચલાવતાં ચલાવતાં જ ડ્રાઇવરે પૂછ્યું, 'કેમ શેઠ ! મજામાં નથી ?'
ના..પરદેશમાં ગયો હતો કમાવા...પણ પાંચ લાખનું નુકશાન થયું. આ સાંભળતાં જ પાછળની સીટ પર બેઠેલા શેઠાણી ખડખડાટ હસવા લાગ્યાં !
પાંચ લાખ ગુમાવ્યા નથી, પાંચ લાખ કમાયા છે...
ડ્રાઇવર મુંઝાયો....શેઠ કહે છે. પાંચ લાખ ગુમાવ્યા..” શેઠાણી કહે છે “પાંચ લાખ કમાયા. !” સાચું કોણ ? ગાડી ઊભી રાખી..
શી વાત છે શેઠ ?'
જો શેઠ જવાબ નહિ આપે..! વાત એમ હતી કે અહીંથી પરદેશ જતી વખતે શેઠના મનમાં એમ હતું કે. પરદેશમાં દસ લાખ તો કમાઇશ જ...પણ ધારી કમાણી થઇ નહિ.પાંચ લાખ જ કમાયા.એ ગણત્રીએ શેઠ કહે છે, “પાંચ લાખનું નુકશાન થયું...' જ્યારે હું એમ માનું છું જે મૂડી હતી તેમાં પાંચ લાખનો તો વધારો જ થયો છે ને ! એટલે પાંચ લાખ કમાયા..' પડી સમજ ?' ડ્રાઇવર શું બોલે ?
મનનો સ્વભાવ અભાવને પકડવાનો છે. પોતાની પાસે શું છે, તેની મનને પડી નથીપોતાની પાસે શું નથી, તેની મનને પડી છે. અને દુનિયામાં છે કરતા નથીનું લીસ્ટ બહુ મોટું છે...એટલે જ ડાહ્યો માણસ છે તેને નજર સામે રાખી સંતોષથી જીવે છે અને નથી ને પકડવાની મહેનત નથી કરતો...
આવી વૃત્તિ જીવનમાં આવી જાય તો અદત્તાદાનના પાપને આચરવાનું મન ન થાય. ! અને યાદ રાખજો...આત્મામાં સંસ્કાર વસ્તુના નહિ, વૃત્તિના પડે છે. બે રૂની કે બાર રૂ.ની રકમના સંસ્કાર નથી પડતા, પણ સંસ્કાર તો ર્ચારીના જ પડે છે. એટલે જ ઝીણામાં ઝીણી ચોરી કરતાં પણ ખૂબ વિચારજો....
હમણાં જ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ મિ. ડીન અચેસને લખેલ પ્રસંગ ક્યાંક વાંચવામાં આવ્યો.
બસમાં મુસાફરી કરતા એક યુવકના ખીસામાં કો'કનો હાથ ગયો. યુવકને ખબર પડી જતાં તુર્તજ હાથ દાવ્યો. પાછળ જોયું તો ખીસામાં હાથ નાંખનાર એક યુવતી હતી. બન્નેની નજર મળી. યુવતીને જેલ ભેગી કરી દેવાને બદલે યુવતીની સાથે