________________
'જુડુ કદિ ન બોલીએ मूसावाओ य लोगम्मि, सव्वं साहूहिं गरिहिओ अविस्सामो य भूआणं, तम्हा मोसं विवज्जए
શર્વત્રિક (ન. ૬ થી ૧૩) ભાવાર્થ - લોકમાં બધા સાધુ ભગવંતોએ અસત્ય વચનની નિંદા કરી છે.
બધાના અવિશ્વાસના નિર્માણનું કારણ હોવાથી જુઠું બોલવાનું
ત્યાગવું જોઇએ. પ્રશ્ન વ્યાકરણમાં લખેલું છે કે “સચંખું ભયનં' અર્થાત્ સત્ય એજ ભગવાન છે. સહજાનંદી સત્ય સ્વરૂપી આત્મા સદા સનાતન સભાવોથી પરિપૂર્ણ છે. તેમ છતાં અજ્ઞાનના કારણે સુંદર મહેલને છોડીને અસત્યની અંધારભરી કોટડીમાં દુઃખી થઇ રહ્યો છે. સત્યની ઉત્થાપના અને અસત્યની સ્થાપના કરી રહ્યો છે. ભાષા વર્ગણાના પુદગલો ને અસત્યમાં પરિણમાવી સત્યને છોડી મતાગ્રહ પ્રમાણે સ્વ અને પર બન્ને આત્માઓને ફસાવી નિકાચિત કર્મોનું બંધ કરી રહેલ છે. બધા પ્રકારના અસત્યવચન અવિશ્વાસનું કારણ બને છે.
લોકમાં રહેલ બધા જડ ચેતન તત્વો / દ્રવ્યો સ્વરૂપે છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાના મૂળ અસ્તિત્વને કાયમ રાખી નિરંતર પરિણમી રહેલ છે. આવું માનવું જાણવું અને કહેવું એ નિશ્ચય સત્યવ્રત છે.
આજે સ્થૂલ મૃષાવાદવિરમણ નામના બીજા વ્રતની વાત કરવી છે...આમાં સૌથી પહેલાં આપણે એ જોવું છે કે જૂઠ બોલવાનું મન કેમ થાય છે ? શાસ્ત્રકાર ભગવંતો જૂઠ બોલવાનાં ચાર કારણો બતાવે છે.. ૧. ક્રોધથી..૨. લોભથી.. ૩. ભયથી..૪. હાસ્યથી.
જ્યારે જ્યારે પણ જૂઠ બોલાતું હોય...બોલવાનું મન થતું હોય ત્યારે ત્યારે તેના મૂળમાં જશું તો આ ચાર કારણેમાંથી જ કોઇ એકાદ કારણ મળશે.
આશ્ચર્ય તો એ છે સત્ય બોલવું કાયમ માટે સરળ છે. જૂઠ બોલવું કઠિન છે. છતાં લોકો માટે ભાગે જૂઠના સહારે જ જીવે છે.
તમારી દુકાને એક ઘરાક આવ્યો. કાપડ જોઇ તેણે તમને ભાવ પૂક્યો તમે પાંચ રૂપિયે મીટર કહ્યું...થોડી વાર પછી બીજો ધરાક આવ્યો...તેની સ્થિતિ સારી જોતાં તમે તેને છ રૂપિયે મીટર કહ્યું. ત્રીજા ધરાકને સાડા પાંચ રૂપિયે મીટર કહ્યું...હવે આ જ ત્રણે ય ધરાકને જો બે-ત્રણ દિવસ પછી આવે તો તમારે વ્યવસ્થિત યાદ રાખવું પડે કે ક્યા ધરાકો કેટલા રૂપિયે મીટર કાપડ પહેલાં કહ્યું હતું ! આને બદલે તમે જો ત્રણે ય