________________
છે. અહિંસાની સિદ્ધિ અને ધર્મની આરાધના સત્યપર નિર્ભર છે. એકાન્ત વાદના અસત્યપર આધારિત થવાથી જ અન્ય દર્શનના બધા સિદ્ધાંત અને અનુષ્ઠાન વ્યર્થ થઇ જાય છે. જેને સિદ્ધાંત અને અનુષ્ઠાન તાકાતવાન બને છે, એનું મુખ્ય કારણ છે અનેકાન્તનો સત્યઆધાર
એક સંત પાસે એક યુવક આવ્યો. સંતે સન્માર્ગે વાળવાની ભાવનાથી પૂછ્યું - તમે શરાબ પીઓ છો? યુવકે ના પાડી, ફરી પૂછ્યું - સીગરેટ ! યુવકે ના પાડી - પાન પરાગ ? ના. જૂગાર? ના. પરસ્ત્રીગમન ? ના. યુવકની સારી ચાલચલગતથી પ્રભાવિત થઇ અને તેને સુધારવાનો અવસર નહિ મળે. એમ સમજી દુઃખી થતાં સંતે પૂછયું, “તો પછીતારામાં શીખામી છે?"યુવકે જવાબ આપ્યો, “જી, મને જૂઠું બોલવાની આદત છે.”
- હવે તમે જ વિચારો, આ એક આદતથી બાકીના જવાબ કેવા થઇ ગયા ? બસ, વાત આમ છે. એક અસત્યના લીધે બધી સારી બાબતો તથા બધા ધર્મો અસત્ય બની જાય છે.
સત્યવચની બનવાથી (૧) સત્વની શુદ્ધિ થાય છે. (૨) હૃદય સ્વચ્છ રહે છે. (૩) બુદ્ધિ નિર્મળ બને છે. (૪) મૌન સહજ બને છે. (૫) મન સ્વાર્થમુક્ત બને છે. (૬) વચનસિદ્ધિ થાય છે. (૭) લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. (૮) નિર્ભયતા પ્રગટ થાય છે. (૯) સ્થિરતાગુણની પ્રાપ્તિ થાય છે. (૧૦) આત્મા મોહમુક્ત બને છે. આવા તો અગણિત લાભ છે. હિંસાદિ દોષથી દુર્ગતિ થાય છે, પણ દોષમાં કારણભૂત દુબુદ્ધિથી ઉસૂત્રપ્રરુપણા, અસન્માર્ગની સ્થાપના, પુણ્ય પાપમાં નિષેધરૂપ નાસ્તિકવાદનો પ્રચાર, વિજ્ઞાનવાદ, ઉપભોક્તાવાદ, વર્તમાનની મજા માણી લેવાની વાતો વગેરે રૂપ મૃષાવાદથી તો મિથ્યાત્વનું પોષણ અને અનંત સંસારમાં ભ્રમણ નિશ્ચિત થાય છે ને જીભ ન મળવાના એકેન્દ્રિયભવો મળે છે.
આટલું જરૂર કરીએ I કઠોર શબ્દો બોલી કોઇનુંય જાહેરમાં તો અપમાન ન કરવું. જ જાતિ, સમાજ, ગચ્છ અને દેશમાં ફૂટ પડે અથવા પરસ્પર કષાયો વધે એવું પગલું ન ભરીએ. * કોઇની પણ નાની પણ અનામત ન દબાવવી. #િ કોઇ નક્કર પુરાવાઓ વિના માત્ર અનુમાનો દ્વારા કોઇની પર જૂઠ્ઠો કલંક, આરોપ ન લગાવીએ ન નામા પત્ર ન લખીએ.
કોઇનેય સ્વાર્થવશ થઇને ખોટી સલાહ ન આપવી. જ કોઇના ય પણ ખોટા દસ્તાવેજ, સર્ટીફીકેટ ન બનાવી દેવા. જ કોઇનો ય ખોટો કેસ દાખલ ન કરવો.
કોઇને ય ઇર્ષ્યા આદિ ભાવોથી નીચે પાડવાના પેંતરા ન રચવા.