________________
અિતિચાર
(૧) સહસાકાર - વિનાવિચારે જેમ ફાવે તેમ બોલવું. ગાળ દેવી, કલંક દેવું કે માર્મિક વચન બોલવું તે..
(૨) રહસ્યભાષણ - કોઇની ગુપ્ત વાતો જાહેર કરવી તે... ગુપ્ત વાતો જાણ્યા પછી સામાને ડરાવવો તે.
(૩) વિશ્વસ્ત મંત્રભેદ – પોતાની સ્ત્રી - સગાસંબંધી આદિ વિશ્વાસુના દુષણ બોલવા તેમજ નાદાનપણામાં કરેલી ભૂલને બીજાની પાસે કહેવી તે..
(૪) ભૂષા ઉપદેશ - જૂઠો ઉપદેશ દેવો - ખોટી સલાહ આપવી તે..
(૫) કૂટલેખ - ખોટા દસ્તાવેજ કરવા. તેમજ તેમાં લખેલ અક્ષરો કાઢી નાખવા તે...
ઇરાનના ખ્યાતનામ તત્વજ્ઞાની લુકમાનને એકવાર કોઇએ પૂછ્યું, “શરીરના અંગોમાં શ્રેષ્ઠ અંગ કર્યું ? જીભ, કારણ કે મડદાને પણ બેઠા કરવાની તાકાત જીભમાં છે. શ્રેષ્ઠ અંગ જો જીભ છે તો શરીરના તમામ અંગોમાં સૌથી કનિષ્ઠ અંગ કર્યું? જવાબ : જીભ, કારણ કે પાંચ ફૂટ ઉંચા માણસને પણ ઉભા ઉભા ચીરી નાંખવાની તાકાત ત્રણ ઇંચની જીભમાં પડેલી છે.
જીભ ને જોખમદારી ભરી જવાબદારી સોંપાયેલી છે. બ્રોડકાસ્ટીંગ કરવાનું કામ પણ કરે અને ફૂડ સપ્લાય કરવાનું પણ કામ કરે. બન્ને ક્ષેત્રમાં જીભની જમોનોપોલી છે.
આ જીભ દ્વારા અર્થહીન, મર્મઘાતક, અહિતકારી, વચન વગેરે બીજાનું અહિત થાય તેવા વચનો બોલવા ન જોઇએ, કારણ કે એ પણ જૂઠ છે. અહિતકારી સત્ય પણ આખરે અસત્ય મૃષાવાદ બની જાય છે.
કોઇના પણ સ્વાભિમાનને ધક્કો પહોંચે એવા મર્મઘાતક વચનો ભૂલમાં પણ ન બોલવા જોઇએ. સત્ય ઘૂયાત, પ્રિયે તૂયાત, ન ઘૂયાત સત્યપ્રિય સત્ય બોલો, પ્રિય બોલો. કિન્તુ અપ્રિય એવું સત્ય ન બોલો.
વાણીના આઠ ગુણ છે. સ્તોકમ્, મધુર, નિપુણ, કાર્યાપતિત, અતુચ્છ, ગર્વરહિત, પૂર્વ સંકલિત, ધર્મસંયુક્ત.
(૧) સ્તોકમ્- ઓછું બોલો, ટેલીગ્રામ (તાર)ની માફક ઓછા શબ્દોમાં પૂરી વાત થવી જોઇએ. બે શબ્દો કહીશ એમ કહી બે કલાક ભાષણ કરવું. એ કોઇ કલા નથી, પરંતુ શ્રોતાઓ માટે બલા છે.
એક સભામાં એક વક્તાએ કલાકો સુધી ભાષણ ચલાવ્યું. બધા કંટાળી ગયા.