Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ બે-બેલ. કેઈને આ પ્રકારનું વિચાર-સાહિત્ય વસમું લાગે આકરૂં લાગે. કડવી દવા પીનાર કેવું મોઢું કરી નાંખે ! તેમ આનાથી પણ થાય. પણ સમાજ-સંશોધનની ભાવના પર એ સહી લેવું જ રહ્યું. હજુ તો કઈ કઈ પાંદડું હાલે છે, પણ કાતિને ગગનભેદી ખળભળાટ હવે દૂર નથી. મોટું દેખીને તિલક કરનાર, સુધારક નથી. મિયાંની ચાંદે ચાંદ કહેનાર ખુશામદીય છે. અન્તર્નાદને અવગણ બીજાને મીઠું મનવવું એ માખણીયા ભગતનું કામ છે. “હા-છ” આએની દાનત તે એવી હેાય કે “ વર મરે કે વહુ મરે. ગોર મહારાજનું ભાણું ભરો.” સમાજ-કલ્યાણને અનુકૂળ જે પિતાને જણાય તેનું નિખાલસપણે પ્રતિપાદન કરવું એમાં સુધારકની કરી છે. એ કામ ભારે દુષ્કર છે. એમાં આખા સમાજને અણગમો સહવાની ધીરતા જોઈએ છે. એવા કેટલાકીણું માર્ગના પ્રવાસી દેશદ્વારક-ધર્મોદ્ધારક મહાપુરૂષોને ભૂરિ ભૂરિ નમન છે. પણ હું તે અત્યારે એ જોઈ રહ્યો છું કે, આવા વિચારોને રસ-પૂર્વક સાંભળનારા, સાંભળવાનું પસંદ કરનારાઓની સંખ્યા બહુ મહેટી છે; જેમાં નવ યુવક અને નવ-શિક્ષિત સમાજ તે લગભગ આખેય આવી જાય છે. ઉપરાંત વાદ્ધો, વિચાર-વૃહો, વિવા-વૃદ્ધો અને ઉંચી ડિગ્રી ધરાવનારાઓ પણ મહેટી સંખ્યામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 180