________________
સાધુ–સંસ્થા.
૧ ૧૫
આમ સંન્યાસ–ભૂમી પર કૂદકો મારી પહોંચી જનારા વીરે જેમ પૂર્વકાળમાં નિકળતા હતા, તેમ આ કાળે કેઈ નજ નિકળી શકે એમ કંઈ નથી. પણ આજે તે “અનુવિઘા પાશુપા” ન રહીને મોહ, પરિવારવૃદ્ધિ અને મામૈષણાની વાસનાજ મહેટે ભાગે દીક્ષા–મુંડન કરી રહી છે. “મનુઘરિયા વાપુવામ: ”તે એ હોય કે ઉપદેશ અપાય તટસ્થ અને એને પરિણામે મુમુક્ષુ પ્રાર્થના કરે ત્યારે તેને લગતી આજુબાજુની સ્થિતિને વિચાર કરી, કલહ-કોલાહલ કે શાસન-ઉડ્ડાહ થવાને પ્રસંગ ન ઉભે થવાનું ખાસ લક્ષ્યમાં રાખી કેવળ તેના આત્મ-ડિત માટે કારૂણિક ગુરૂ તેને પ્રવજ્યા આપે. આ દીક્ષાની રીત છે. વગર વિચાર્યું ઉતાવળ કરી મુનિ-ધર્મના પવિત્ર સિંહાસન પર “કાગડો” બેસાએ તે એ બેહુ ગણાય ! પણ દુઃખની વાત છે કે આજે દીક્ષા જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુ, જે આવે તેને આંધળીયા કરી મુંડવાની તાલાવેલીમાં બહુ વગોવાઈ રહી છે. આ જ કારણ છે કે ભારતવર્ષમાં સામાન્યતઃ સાધુ-સંસ્થા જે માનનીય–પૂજનીય ગણતી હતી, તે આજે અધિકાંશ પિતાનું તેજ ગુમાવી બેઠી છે. આજના પ્રતિષ્ઠિત મહાપુરૂષો પણ છડે ચોક વદે છે કે –
આજ કાલની લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કંઇ જોવામાં આવતું નથી. અને તેથીજ સાધુઓ પણ તેજસ્વી
૧ “ પરોપકારમુદિથી આગતુક મુમુક્ષુને સ્વીકારવા. ” હરિભદ-ધર્મબિન્દુ, ચતુર્થી અધ્યાય, ૩૧ મું સૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com