Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 165
________________ ૧૪. વીર-ધમને પુનરુદ્ધાર. એક તિલમાત્ર પણ અંશ સ્વાર્થ સાધન સિવાય અન્યત્ર વાપરવો એ ઈષ્ટ હતું. આત્મબળને પ્રગટાવવાની આ કેવી ધૂન ! ક્ષમાના અજબ અખતરા ! ગજબ સમાધિ ! રાગ-દ્વેષને હણી નાંખવા પાછળ એ વીરે ખાવું મૂકી દીધું, પીવું મૂકી દીધું અને ઉંઘવું પણ તદ્દન છે દીધું. એમના સમયના બીજા તપસ્વી છે તે આ પ્રવાસમાં થાકી ગયા, પણ આ વીરની તે ધીરજ જરાય ન ખૂટી. બાર બાર વર્ષ આમ વીતી જતાં જ્યારે એ મહાત્માનું ધાર્યું પાર પડયું, ત્યારે તેમને નિરાંત વળી, અને પછી જપ વાળી બેઠા. રાગ-દ્વેષ વિપરાતાં આખું મેહનીય, અને સાથે જ તમામ આવરણે તથા અન્તરા તત્કાળ સુકાઈ જઈ વિખરાઈ જાય છે. આમ વીતરાગ દશાએ પહોંચી મહાવીર પ્રભુ” બને છે. આ પ્રભુતા પૂર્ણબ્રા–સ્વરૂપિણ છે, અનન્તતેજોમયી છે અને અખંડ સચ્ચિદાનંદરૂપ છે. આ બધી જાજવલ્યમાન વિભૂતિઓ એ વીતરાગ-દશાની વિભૂતિઓ છે. આ સર્વ દેદીપ્યમાન ચૈતન્યપ્રકાશ એ વીતરાગ દશાને પ્રકાશ છે. વાંચનાર હવે સમજી ગયા હશે કે મહાવીર આપણું શા કારણે “પ્રભુ” છે. લેટેત્તર ચમત્કારકારી કાર્ય એક માત્ર રાગ-દ્વેષને પરાજય કર એ છે. રાગ-દ્વેષના મહાસાગરને ઓળંગી ગયેલ, સંસારમાં સહુથી મોટો વીર છે. એ વીરની આગળ દુનિયાના મહારામાં હાટા વીર પણ પાણું ભરે છે. એવા વીરનાં કારણે જ માનવકના ચક્રવર્તીએ, સ્વર્ગના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180