________________
ગૃહસ્થાશ્રમ.
થાય છે. કારણ અને કાર્ય ! કારણને સુધારી કાર્ય સિદ્ધ કરવું હજુ પણ અમારા હાથમાં છે.
ડાર્વિન કહે છે કે –
"Man sees with scrupulous care the character and pedigree of his horse, cattle and dogs, before be matches them; but when he comes to his own marriage, he rarely or never takes such care.”
અર્થાત–મનુષ્ય ગાય, બળદ, ઘડે અને કુતરાને જોડો લગાવવા પૂર્વે એમનાં કદ, નસલ, બળ આદિ અનેક ગુણે ઉપર બહુ સાવધાનતાથી વિચાર કરે છે, અને જાંચ કરીને જોડે સ્થિર કરે છે; પરંતુ પિતાના કે પિતાની સંતતિના વિવાહ વખતે આ બધા ઉત્તમ વિચારોને ભૂલી જાય છે !
આ અજ્ઞાનતાનું જ એ પરિણામ છે કે આજનો ગૃહસ્થાશ્રમ દિવસે દિવસે વધારે ફીક પડતે જાય છે. ધ્યાનમાં રહે કે સ્ત્રીઓ કેવળ ભેગ-વિલાસ માટે બનાવી નથી ગઈ. જે પુરૂષ સ્ત્રીઓના શરીરને, તેમનાં સુખ-દુઃખ પર ધ્યાન નહિ આપી પોતાના જ સુખ-વિલાસ માટે ખુદગઈથી કામમાં લે છે, તેઓ વિવાહના અધિકારની બહાર જાય છે અને વિવાહ-શયાને અપવિત્ર કરે છે. આવા કામી પુરૂષના વિવાહને અંગ્રેજીમાં Married or legal Prostitution ( વ્યભિચાર) કહે છે. આનું પરિણામ બતાવતાં એક વિદ્વાન લખે છે કે –
" A nation wbicb reeks in sexual life nothin: but pleasure is bound to disappear. "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com